મહીસાગરના સંતરામપુરમાં બે જૂથો પથ્થરમારો, 10થી વધુ લોકો ઘાયલ
મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં બે સ્થાનિક જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. કાદરી મસ્જિદ વિસ્તારમાં થયેલા આ પથ્થરમારામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મુલતાની સમાજ અને ઘાંચી સમાજના લોકો વચ્ચે બની હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં વધી ગયો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ.

આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઈજાઓ ધરાવતા કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે અન્ય જગ્યાએ રિફર કરાયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સંતરામપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે ટોળાને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
