બોટાદમાં ટીકિટ નહી આપવામાં આવે તો અપક્ષ ચૂંટણી લડવાના આપ્યા સંકેત
કોગ્રેસ દ્વારા ગુજરાતવ વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કા માટેના 9 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પડાતાની સાથે નારાજગીનો દોર શરૂ થઇ ગયો હતો. બોટાદ કોગ્રેસના વરિષ્ઠ નેતા મનહર પટેલ દ્વારા રમેશ મેરના નામની જાહેરાત કરવામાં આવી હતી
કોગ્રેસ દ્વારા ગુજરાતવ વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કા માટેના 9 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પડાતાની સાથે નારાજગીનો દોર શરૂ થઇ ગયો હતો. બોટાદ કોગ્રેસના વરિષ્ઠ નેતા મનહર પટેલ દ્વારા રમેશ મેરના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇન સ્થાાનિક કોગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દ્વારકા બેઠક પર ખેડૂત નેતા પાલ આબલિયા દાવેદારી નોધાવી હતી. તેની જગ્યાએ મૂળુભાઇ કંડોરીયાને ટીકિટ આપવામાં આવી છે.
મનહર પટેલે આજે ગુજરાત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કકરીને પોતાની વાત રજૂ કરી હતી. આ મામલે તેમણે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રજૂઆત કરવા માટે જમાવ્યું હતુ કે, મનહર પટેલે કોગ્રેસ નહી છોડીને અપક્ષ ઉમેદવારી નોધાવાના પણ સંકેત આપ્યા હતા. તમણે કહ્યુ હતુ કે, હુ જીવીશ ત્યા સુધી કોગ્રેસમાં જરીશ. જો ટીકીટ નહી મળે તો અન્ય વિકલ્પ પર વિચાર કરીશ પરંતુ ભાજપ કે, આમ આદમી પાર્ટી નહી છોડવાની વાત કરી હતી.
આ પહેલા મનહર પટેલે સોશિયલ મીડિયામાં લખીને પોતાના પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યકત કહી હતી. સશિયલ મીડિયામાં લખ્યુ હતુ કે, કૉગ્રેસના પક્ષના સમર્પિત આગેવાન તરીકે મે 107 બોટાદ બેઠક પરથી ઉમેદવાર બનવામાટે પક્ષ સમક્ષ માંગ કરી છે. મને પુરી ખાતરી છે કે, કોગ્રેસ પક્ષ યોગ્ય નિર્ણય લેશે.