મણિનગરમાં બિલ્ડરની જાહેરાત પર વિવાદ, હિન્દુઓને જ મળશે ફ્લેટ
[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
હિન્દુઓ માટે જ ફ્લેટની જાહેરાત
મણિનગરમાં બિલ્ડરની જાહેરાત પર વિવાદ. હિન્દુઓ માટે જ ફ્લેટની જાહેરાતથી ભેદભાવ નીતિ. મુંબઈ બાદ અમદાવાદમાં ભેદભાવ નીતિ. પોલીસે બિલ્ડરને છાવરવા જાહેરાતનું બોર્ડ બદલ્યું.
101 વિદેશી દારૂની બોટલ
101
વિદેશી
દારૂની
બોટલ
સાથે
ત્રણ
શખસની
ધરપકડ.
રૂ.1.10
લાખનો
મુદ્દામાલ
કરાયો
જપ્ત,એક
ફરાર.
જેતપુર
ધોરાજી
રોડ
પાસેની
ઘટના.
શીવાજીનું સ્ટેચ્યૂ
જામનગરમાં શીવસેના શીવાજીનું સ્ટેચ્યૂ મૂકવા માંગ કરી. શીવાજી મહારાજના સ્ટેચ્યુ મુકવાના મુદ્દે શિવસેનાએ આપ્યુ આવેદનપત્ર.
ગેરકાયદે પથ્થરનો થતો વેપાર
પોરબંદરમાં ગેરકાયદેસર પથ્થરના વેપારનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે પથ્થરનો થતો વેપાર ઝડપાયો, જેને લઇને પોલીસ હરકતમાં આવી છે. રૂ.13 લાખથી વધુની કિંમતના પથ્થરને પોલીસે પોતાના કબ્જે લીધા છે.
છોડા ઉદેપુર
પાવી જેતપુરમાં ત્રિપલ અકસ્માત, બાળકીનું મોત. બે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બે વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
મોરબી
ગઇ કાલે પૂત્રએ કરેલી માતાની હત્યાનો મામલો. હત્યા કરનાર પૂત્રની પોલીસે કરી ધરપકડ. જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ.
સાઇની જામીન થઇ શકે છે રદ
નારાયણ સાંઇને તેમની માતાના ઓપરેશન માટે મળેલા બે સપ્તાહના જામીન રદ્દ થઇ શકે. તેમની માતાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી હાઇકોર્ટે લેશે નિર્ણય.
રાજપુત દ્વારા યુવતીની છેડતી
વ્યારામાં અજય રાજપુત દ્વારા યુવતીની છેડતી મામલો સામે આવ્યો છે. અભદ્ર વર્તનનો વીડિયો વાઈરલ થતા લોકોમાં રોષ. લોકોએ અજય રાજપૂતની ઓફિસ પર કરી તોડફોડ.
યુવતીનો અપહરણ મામલો
દાંતીવાડાના આળખી ગામે યુવતીનો અપહરણ મામલો સામે આવ્યો છે. દાંતીવાડા પોલીસે રાજસ્થાનથી બે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દલિત યુવકને માર માર
દલિત યુવકને માર મારવાનો મામલો. આજે વિશાળ સંખ્યામાં દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન. પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા રેલીનું આયોજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.