આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે સતત સીઝફાયર તોડી રહ્યુ છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય
ભારતે ગુરુવારે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત સીઝફાયરનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.
નવી દિલ્લીઃ ભારતે ગુરુવારે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત સીઝફાયરનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. આની પાછળ તેનો હેતુ આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. ઘૂસણખોરી માટે પાક સેના સતત વસ્તીવાળા વિસ્તારોમાં ગોળીબાર કરતી રહે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે આ વર્ષે અત્યાર સુધી પાકિસ્તાનની સેના તરફથી 3800 વાર યુદ્ધવિરામનુ ઉલ્લંગન કરવામાં આવ્યુ છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી ઘણી વાર એલઓસી પાસે હથિયાર અને દારૂગોળો ફેંકવાની કોશિશો પણ થઈ છે. સીમાપારથી આતંકવાદ સાથે સાથે નશીલા પદાર્થોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે પાકિસ્તાન આતંકી સંગઠનો અને તેમના આકાઓ પર કાર્યવાહી નથી કરી રહ્યુ. મસૂદ અઝહર, દાઉત ઈબ્રાહીમ અને ઝકીઉર રહેમાન લખવી જેવા આતંકી અને ઘણા સંગઠન જેમને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી) પ્રતિબંધિત કરી ચૂકી છે, પાકમાં શરણ લીધેલી છે. એફએટીએફ બેઠકો વિશે અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે પાકિસ્તાને 27માંથી માત્ર 21 ઉપર કાર્યવાહી કરી છે. છ મહત્વપૂર્ણ કાર્યવાહીઓ બાકી છે.
વિદેશ મંત્રાલય તરફથી એ પણ માહિતી આપવામાં આવી છે કે ભારત અને અમેરિકા વચ્ચે થનારી ત્રીજી 2+2 મંત્રીસ્તરીય વાતટીત 27 ઓક્ટોબરે થશે. આમાં પારસ્પરિક હિતોના દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તારથી વિચાર કરવામાં આવશે. બંને પક્ષ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરશે. આ વાતચીતમાં ભારતનુ પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. શ્રીવાસ્તવે જણાવ્યુ કે અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયો પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ એનએસએ અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરશે. પોમ્પિયો અને એસ્પર 26-27 ઓક્ટોબરે ભારત પ્રવાસે હશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
