For Daily Alerts
જામનગરમાં તૂટ્યું મીગ-29 વિમાન, બચાવ કામગીરી શરૂ
આ ઘટના જામનગરના ખંભાળીયાથી લગભગ 20-25 કિ.મીના અંતરે આવેલા લાલપરાડા ગામમાં બનવા પામી છે. મીગ-29 વિમાન કઇ રીતે ક્રેસ થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ વિમાનમાં સવાર બંને પાયલોટનો આબાદ બચાવ થયો છે.
આ ઘટનાની વધુ જાણકારી મેળવી શકાઇ નથી. વિમાન તૂટી પડવાને કારણે કોઇ સ્થાનીય વ્યક્તિ કે પશુંને નુકસાન પહોંચ્યું છે કે નહીં તે અંગેની જાણકારી હજી મેળવી શકાઇ નથી. આ ઉપરાંત મીગ-29 કોઇ ખરાબીના કારણે કે પાયલોટની કોઇ ભૂલના કારણે ક્રેસ થઇ ગયું હતું તે અંગે પ્રશ્નો થઇ રહ્યા છે.
Comments
English summary
mig-29 crashed in Gujarat's Jamnagar, no one killed in this incident.