For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા 11મીએ યાદી લઈને દિલ્હી જશે

|
Google Oneindia Gujarati News

congress-logo
અમદાવાદ, 10 મે : કર્ણાટકના કિલ્લામાં પંજો લહેરાતાં ગુજરાત કોંગ્રેસમાં પણ નવો જોમ જુસ્સો જોવા મળ્યો છે. દક્ષિણના એકમાત્ર રાજ્ય કર્ણાટકમાં કમળ મુરઝાતાં કોંગ્રેસની છાવણીમાં રાજ્યની પેટા ચૂંટણીમાં ફત્તેહ હાંસલ કરવાનો ઉત્સાહ ફેલાયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને અર્જુન મોઢવાડિયા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા શનિવારે સવારે ઉમેદવારોની યાદી લઈને દિલ્હી જશે, જોકે હાલમાં આ યાદીને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસ કર્ણાટકનો વિજય નવી આશા લઈને આવ્યું હોઈ પ્રદેશના નેતાઓ-કાર્યકરોમાં પણ કોંગ્રેસની તમામ છ બેઠક જાળવી રાખવાનો થનગનાટ વધ્યો છે. તેમાં પણ કર્ણાટકની ચૂંટણીની સ્ટ્રેટેજી ઘડનારા કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ, મધૂસુદન મિસ્ત્રી હોવાથી ગુજરાત કોંગ્રેસનો આનંદ બેવડાયો છે.

રાજ્યમાં બે જુને યોજાનારી છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે એક પણ બેઠક ખોવી એટલે ભાજપને સીધો ફાયદો થવાનો છે કેમ કે આ તમામ બેઠકો કોંગ્રેસની છે. જોકે કર્ણાટક વિજયના પગલે પ્રદેશ હાઈકમાન્ડ પણ ઉમેદવારોની યાદીમાં છેલ્લી ઘડીના ફેરફાર કરવામાં વ્યસ્ત બન્યું છે. જે તે બેઠક માટેની થ્રી ટાયર પ્રચારપદ્ધતિ તો અમલમાં પણ મુકાઈ ગઈ છે.

જોકે સંસદનું બજેટ સત્ર વહેલું આટોપાઈ ગયું હોઈ દિલ્હી હાઈકમાન્ડના દ્વારા તારીખ 11મી મે સુધીની રાહ જોવાય તેમ લાગતું નથી અને આજકાલમાં જ અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાને તાકીદનું તેડું મોકલાવીને ઉમેદવારોના નામને લીલી ઝંડી આપવ દિલ્હી બોલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોંગ્રેસ દ્વારા મોડામાં મોડી તારીખ 13મી મે સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ જશે.

English summary
Modhavadiya and shankersinh Vaghela will go Delhi on 11 May with candidate list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X