For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે અમદાવાદમાં એક જ મંચ પર દેખાશે નરેન્દ્ર મોદી અને અડવાણી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 ઓક્ટોબર: ગયા મહીને ભોપાલમાં સાર્વજનિકરીતે મંચ પર આવ્યા બાદ બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને પાર્ટીના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી બુધવારે અત્રે અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં એક સાથે મંચ પર દેખાશે.

અડવાણી અને મોદી સાબરમતી નદીના કિનારે અમદાવાદ નગર નિગમ(એએમસી)એ બનાવેલા ઉદ્યાનોનું ઉદઘાટન સંયુક્તરીતે કરશે. રિવર ફ્રંટ પરિયોજના અંતર્ગત આ ઉદ્યાન બનાવવામાં આવેલા છે.

modi advani
એએમસીના ઇનવિટેશન કાર્ડમાં જણાવવામાં આવ્યું છે કે મોદીની હાજરીમાં અડવાણી આ ઉદ્યાનોને જનતા માટે ખુલ્લુ મૂકશે. આ કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ગાંધીનગર બેઠકથી સાંસદ અડવાણી 2011 બાદ પહેલીવાર ગુજરાતમાં કોઇ સાર્વજનિક સમારંભમાં હાજરી આપશે.

મોદીને બીજેપીની ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવાયાના વિરોધમાં અડવાણીએ આ વર્ષે જૂનમાં બધા જ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું હતું. જોકે બાદમાં તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ અડવાણી અને મોદી ભોપાલમાં એક મંચ પર દેખાયા હતા.

English summary
Modi to address Inauguration of Institute of Infrastructure, Technology, Research and Management at Maninagar. Senior BJP Leader Advaniji, Ministers of Gujarat, Smt. Anandiben Patel, Smt. Vasuben Trivedi and Shri Bhupendrasinh Chudasama will also be present at the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X