For Daily Alerts
સરપંચ મહાસંમેલનમાં નરેન્દ્ર મોદીએ 'મિશન બલમ સુખમ'ની જાહેરાત કરી
આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પાંચાયતી રાજની સુવર્ણજયંતિ ઉજવણી કરવા માટે બપોરે 2 વાગે મહાત્મા મંદિર ખાતે સરપંચ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા યોજવામાં આવેલા સરપંચ મહાસંમેલનમાં ગુજરાતની 14000 ગ્રામ પંચાયતોના પુરુષ અને મહિલા સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રગંસે સંમેલનમાં ગુજરાતના પંચાયત મંત્રી નરોત્તમ પટેલ સહિત આનંદીબહેન પટેલ, વજુભાઇ વાળા, ફકીર વાધેલા, ગણપત વસાવા, રમણલાલ વોરા, પુરસોત્તમ રૂપાલા, આર. સી. ફળદુ, સ્મૃતિ ઇરાની, ભાજપના પ્રભારી, બલદેવ પૂંજ, ઓમ માથુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
English summary
Gujarat chief Minister Narendra Modi announce today a new mission to fight against child malnutrition in sarapanch mahasanmelan at Gandhinagar.