For Daily Alerts
"મોદીએ કહ્યું હતું, ઇશરત જહાંને મારી નાખો"
આ એન્કાઉન્ટરના શિકાર જાવેદ શેખે વકીલ મુકુલ સિન્હાને પોતાના ફેસબુક પેજ પર સેવાનિવૃત્ત પોલીસ નાયબ અધીક્ષક ડીએચ ગોસ્વામીનું કહેવાતું નિવેદન મુક્યું છે જે અંગે તેમનો દાવો છે કે આ સીબીઆઇ દ્વારા ઇશરત જહાં મામલામાં દાખલ કરવામાં આવેલ આરોપપત્રનો ભાગ છે.
આ સમયે જેલમાં કેદ વણઝારા અંગે દાવો કરવામાં આવ્યો છે કે તેણે એક અન્ય અધિકારી જી એલ સિંઘલને જણાવ્યું હતું કે તેને એન્કાઉન્ટર માટે મુખ્યમંત્રીની મંજૂરી મળી ગઇ છે.
શેખ 19 વર્ષીય ઇશરત તથા બે અન્યની સાથે 15 જૂન 2004ના રોજ એક અથડામણમાં માર્યો ગયો હતો. આ સિલસિલામાં સીબીઆઇએ અત્રે એક કોર્ટમાં બુધવારે આરોપપત્ર દાખલ કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર નકલી હતું જેને શહેરની ક્રાઇમ બ્રાંચે આઇબીની સાથે મળીને પાર પાડ્યું હતું.
cm narendra modi isharat jahan fake encounter gujarat નરેન્દ્ર મોદી ગુજરાત નકલી એન્કાઉન્ટર ઇશરત જહાં
English summary
CM Narendra Modi had given permission for isharat jahan encounter said advocate.
Story first published: Saturday, July 6, 2013, 15:43 [IST]