For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"મોદીએ કહ્યું હતું, ઇશરત જહાંને મારી નાખો"

|
Google Oneindia Gujarati News

isharat jahan
અમદાવાદ, 6 જુલાઇ : ઇશરત જહાં કહેવાતા નકલી એન્કાઉન્ટર કેસમાં એક પીડિતના વકિલે એવો દાવો કર્યો છે કે ગુજરાતના એક સેવાનિવૃત્ત અધિકારીએ સસ્પેન્ડેડ અધિકારી અને મામલાના મુખ્ય આરોપી ડી જી વણઝાણાને એક અન્ય અધિકારીને એવું કહેતા સાંભળ્યા હતા કે તેમને એન્કાઉન્ટર માટે નરેન્દ્ર મોદીની મંજૂરી મળી ગઇ છે.

આ એન્કાઉન્ટરના શિકાર જાવેદ શેખે વકીલ મુકુલ સિન્હાને પોતાના ફેસબુક પેજ પર સેવાનિવૃત્ત પોલીસ નાયબ અધીક્ષક ડીએચ ગોસ્વામીનું કહેવાતું નિવેદન મુક્યું છે જે અંગે તેમનો દાવો છે કે આ સીબીઆઇ દ્વારા ઇશરત જહાં મામલામાં દાખલ કરવામાં આવેલ આરોપપત્રનો ભાગ છે.

આ સમયે જેલમાં કેદ વણઝારા અંગે દાવો કરવામાં આવ્યો છે કે તેણે એક અન્ય અધિકારી જી એલ સિંઘલને જણાવ્યું હતું કે તેને એન્કાઉન્ટર માટે મુખ્યમંત્રીની મંજૂરી મળી ગઇ છે.

શેખ 19 વર્ષીય ઇશરત તથા બે અન્યની સાથે 15 જૂન 2004ના રોજ એક અથડામણમાં માર્યો ગયો હતો. આ સિલસિલામાં સીબીઆઇએ અત્રે એક કોર્ટમાં બુધવારે આરોપપત્ર દાખલ કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર નકલી હતું જેને શહેરની ક્રાઇમ બ્રાંચે આઇબીની સાથે મળીને પાર પાડ્યું હતું.

English summary
CM Narendra Modi had given permission for isharat jahan encounter said advocate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X