PM સામે CMના વખાણ, મોદીને વિઝા આપવાની તરફેણમાં કેમરુન
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર, બ્રિટિશ સરકાર મોદીને વિઝા આપવા માટે સહમત થઇ ગઇ છે. સમાચાર પત્રએ ઉચ્ચ પદ પર રહેલા સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું છે કે, ભારત યાત્રા પર આવેલા બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરોનની પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે થયેલી ચર્ચા દરમિયાન મોદીને વિઝા આપવા અંગે વાતચીત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાત રમખાણો બાદ બ્રિટને મોદીને વિઝા આપવાની ના પાડી દીધી હતી. મોદીએ છેલ્લે 2003માં લંડનની યાત્રા કરી હતી. ભારત યાત્રા દરમિયાન કેમરોન અને મોદી વચ્ચે મુલાકાત થશે તેવું મનાઇ રહ્યું હતું. જો કે, તેવું શક્ય બન્યું નહોતું. હવે એવો નિર્ણય થયો છે કે બ્રિટનના સાંસદ વ્યાપારિક પ્રતિનિધિ મંડળ સાથે ટૂંક સમયમાં જ ગુજરાત આવશે અને મોદીને લંડન આવવા માટે આમંત્રિત કરશે.
મોદીને લઇને બ્રિટનની નીતિમાં ફેરબદલનું કારણ ગુજરાતી વોટર છે, જે ત્યાંની કંજરવેટિવ પાર્ટી માટે ઘણું મહત્વ ધરાવે છે. બ્રિટનમાં ભારતીય મૂળના 1.5 મિલિયન લોકો રહે છે. તેમાં 8,50,000 ગુજરાતી છે. ડિસેમ્બર 2013માં થનારી ચૂંટણીમાં આ વોટર કેટલીક બેઠકો પર ઘણું મહત્વ ધરાવે છે.