For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ પ્રજાના 160 કરોડ રૂપિયા સદભાવનામાં ખર્ચ્યાઃ કેશુભાઇ

By Super
|
Google Oneindia Gujarati News

keshubhai patel
દાહોદ, 29 ઑક્ટોબરઃ ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી) પ્રમુખ કેશુભાઇ પટેલની પરિવર્તન યાત્રા દાહોદ ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે મોદી દ્વારા સદભાવના ફાસ્ટ કરવામાં આવ્યા હતા, જે દરમિયન લોકોના 160 કરોડ રૂપિયા વાપર્યા હતા.

મોદીએ ટેક્સ માટે ચુકવાયેલા પૈસા પોતાની છબીને સુધારવા માટે વેડફ્યા હતા. આ આંકડો 160 કરોડનો છે. તેમજ મોદી દ્વારા મોટી માત્રામા લોકોના પૈસાનો ઉપયોગ વિવિધ પ્રકારના તહેવાર, મેળા અને સમિટ યોજવામાં કરી રહ્યાં છે, તેવું કેશુભાઇએ જાહેર મેદનીને સંબોધિત કરતીવેળા કહ્યું હતું.

તેમણે ઉપસ્થિત મેદનીને સુચન કર્યું હતું કે, હવે સમય પાકી ગયો છે કે, મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને સત્તા પરથી ઉખેડી ફેંકીએ, જે જુઠ્ઠાણું ફેલાવે છે અને વિકાસનો ખોટો પ્રચાર રાજ્યમાં કરે છે.

તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત દેશમાં ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટમાં નંબર વન હતું, પરંતુ હાલ તે પાંચમા ક્રમે ધકેલાઇ ગયું છે.

English summary
GPP president Keshubhai Patel has accused Chief Minister Narendra Modi of spending "taxpayers money" to the tune of Rs 160 crore during his last year's Sadbhavna fasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X