Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિહારના કાર્યકરોને સંબોધી 2014ના કેમ્પેઇનની આજે શરૂઆત કરશે મોદી

ગાંધીનગર, 5 જુલાઇ : ભારતીય જનતા પાર્ટીના હાલમાં પ્રચાર કમિટિના પ્રમુખ બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મિશન 2014ની ચૂંટણી રણનીતિ અંતર્ગત કેમ્પેઇન યોજનાની શરૂઆત શુક્રવારથી કરશે. મોદી બિહારમાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધીત કરશે, જ્યાં મતભેદ થવાના કારણે બીજેપી અને જેડીયૂનું ગઠબંધન તૂટી ગયું હતું.

મોદી આજે અમદાવાદથી વીડિયો-કોન્ફ્રેન્સિંગ દ્વારા બિહારના લગભગ 1500 પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે. તેમણે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પણ આ રીતે પ્રચાર પ્રસાર અભિયાન કર્યું હતું. તેઓ 16 જુલાઇના રોજ પુરી યાત્રા જશે અને પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી આપશે.

ઉપરાંત તેઓ 27 જુલાઇના રોજ આંધ્ર પ્રદેશ એક કાર્યક્રમમાં જવાના છે, પરંતુ રાજ્યમાં પંચાયત ચૂંટણી યોજાવાના પગલે આગળ ધકેલાઇને ઓગસ્ટમાં યોજાવાની સંભાવના છે.

narendra modi
ઉલ્લેખનીય છે કે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગયા મહીને સામે આવેલ આંતરિક મતભેદોને બાજુ પર મૂકીને ગુરુવારે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં સાથે બેઠા હતા અને કોંગ્રેસની યુપીએ સરકાર સામે લડત આપવા માટેની રણનીતિ પર ચર્ચા કરી હતી.

ભાજપાના એક નેતાએ કહ્યું કે અમે અમારા આંતરિક મતભેદોને ઉકેલી લીધા છે. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર, મોંઘવારી, આર્થિક વિકાસમાં મંદી તથા આંતરિક સુરક્ષાના વિષયો પર કોંગ્રેસને ઘેરવાના મૂડમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X