For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ પૂછ્યું અફજલ ગુરૂનો નંબર ક્યારે આવશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 21 નવેમ્બર: મુંબઇ હુમલાના મુખ્ય આરોપી અજમલ કસાબને ફાંસી આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે હવે અફજલ ગુરૂનો નંબર ક્યારે આવશે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી પૂછ્યું છે કે અજમલ કસાબને ફાંસી આપીને સરકારે સારું કામ કર્યું છે. પરંતું અફજલ ગુરૂને ફાંસી ક્યારે આપવામાં આવશે. નરેન્દ્ર મોદી સિવાય કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું છે કે હવે ટુંક સમયમાં સંસદ હુમલાના મુખ્ય આરોપી અફજલ ગુરૂને ફાંસી આપવી જોઇએ. હવે દેશના નેતાઓએ અફજલ ગુરૂ પર રાજકારણ શરૂ કરી દિધું છે.

દેશના રાજકિય વિશ્લેષકોનું કહેવું છે કે દિગ્વિજય સિંહના નિવેદનને સામાન્ય ગણવામાં ન આવે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારે અફજલ ગુરૂની ફાંસીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે 7.30 વાગે પુણેની જેલમાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. ત્યારબાદ દેશભરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

English summary
Gujarat chief minister Narendra Modi has asked central government now when India will hang Afzal Guru, the main accused of Parliament attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X