For Quick Alerts
For Daily Alerts
નરેન્દ્ર મોદીએ પૂછ્યું અફજલ ગુરૂનો નંબર ક્યારે આવશે
નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી પૂછ્યું છે કે અજમલ કસાબને ફાંસી આપીને સરકારે સારું કામ કર્યું છે. પરંતું અફજલ ગુરૂને ફાંસી ક્યારે આપવામાં આવશે. નરેન્દ્ર મોદી સિવાય કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું છે કે હવે ટુંક સમયમાં સંસદ હુમલાના મુખ્ય આરોપી અફજલ ગુરૂને ફાંસી આપવી જોઇએ. હવે દેશના નેતાઓએ અફજલ ગુરૂ પર રાજકારણ શરૂ કરી દિધું છે.
દેશના રાજકિય વિશ્લેષકોનું કહેવું છે કે દિગ્વિજય સિંહના નિવેદનને સામાન્ય ગણવામાં ન આવે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારે અફજલ ગુરૂની ફાંસીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે 7.30 વાગે પુણેની જેલમાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. ત્યારબાદ દેશભરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
Comments
ajmal kasab narendra modi yerwada jail digvijay singh sushilkumar shinde afzal guru અજમલ કસાબ નરેન્દ્ર મોદી યરવડા જેલ દિગ્વિજય સિંહ સુશીલ કુમાર શિંદે અફજલ ગુરૂ
English summary
Gujarat chief minister Narendra Modi has asked central government now when India will hang Afzal Guru, the main accused of Parliament attack.
Story first published: Wednesday, November 21, 2012, 10:49 [IST]