For Quick Alerts
For Daily Alerts
બાબા સાહેબનો જન્મ દેશ માટે બીજી દિવાળી સમાન: મોદી
ગાંધીનગર, 15 એપ્રિલ: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને તેમના જન્મ દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીનગરમાં વિધાનસભા સંકુલ સામે ડો. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મ આ દેશ માટે બીજી દિવાળીનો ઉત્સવ હતો. વંચિતોના વિકાસ માટે આજીવન સંઘર્ષ કરતા રહીને વંચિતો-દલિતોને સેવા સંસ્કાર અને શિક્ષિત કરનારા ડો. આંબેડકર યુગપુરુષ બની ગયા છે.
આ પ્રસંગે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી રમણભાઇ વોરા, પૂર્વમંત્રી ફકીરભાઇ વાઘેલા, ધારાસભ્યો પૂનમભાઇ મકવાણા શંભુજી, અશોકભાઇ પટેલ તેમજ અગ્રણીઓ ઝવેરભાઇ ચાવડા, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, અધ્યક્ષ વાડીભાઇ પટેલ સહિત દલિત અગ્રણીઓ- નાગરિકોએ ઉપસ્થિત રહી ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
Comments
narendra modi gujarat dr babasaheb ambedkar gandhinagar floral મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકર શ્રદ્ધાંજલિ
English summary
This is a second Diwali for the nation. Dr. Ambedkar a Yug Purush who worked very hard for development of the underprivileged said Narendra Modi.