નરેન્દ્ર મોદીના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે દાયકો પૂર્ણ કર્યો

યુનાઇટેડ નેશન્સનો ઇન્ટરનેશનલ એવોર્ડ અને ભારત સરકારનો નેશનલ એવોર્ડ મેળવનારા આ સ્વાગત ઓન લાઇન કાર્યક્રમ નરેન્દ્રભાઇ મોદીએ રાજયકક્ષાએ સચિવાલયમાં જનસંપર્ક કક્ષામાં દર મહિનાના ચોથા ગુરૂવાર માટે 24 એપ્રિલ-2003થી શરૂ કરેલો અને રૂબરૂ આવનારા સામાન્યજનની રજુઆત સાંભાળી, સંબંધકર્તા વિભાગના સચિવની હાજરીમાં તેમજ જિલ્લા કલેકટરને વીડીયો કોન્ફરન્સના માધ્યમથી તેના વાજબી અને ન્યાયી ઉકેલની ટેકનોલોજી આધારીત કાર્યશૈલી વિકસાવી હતી.
જિલ્લાકક્ષાએ કલેકટરો અને વહીવટી અધિકારીઓ દ્વારા જિલ્લા સ્વાગત ઓન લાઇન પણ આ જ દિવસથી શરૂ થયો હતો અને ક્રમશઃ 1 જાન્યુઆરી, 2008થી તાલુકા સ્વાગત ઓન લાઇન અને તેની સફળતાને પગલે ફેબ્રુઆરી 2011થી ગ્રામ સ્વાગત કાર્યક્રમને કાર્યાન્વિત કરવામાં આવતા લોકશાહી પ્રશાસન વ્યવસ્થામાં મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માનવીના પ્રશ્નને ઉકેલવા નવી જ કેડી કંડારી હતી.
મુખ્યમંત્રીના સ્વાગત ઓન લાઇન કાર્યક્રમના એક દશકમાં એકંદરે 2,80,754 નાગરિકોએ કરેલી રજૂઆતોનો 90.44 ટકા ઉકેલ સ્થળ ઉપર જ લાવવામાં આવ્યો હતો. બાકી રહેલી રજુઆતો નીતિવિષયક નિર્ણયોની કે સાર્વજનિક સુવિધાના લાંબાગાળાના પગલાની બાબતો હતી.
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વરિષ્ઠ પ્રશાસકોને સામાન્ય નાગરિકની રજુઆતને સંવેદના અને માનવીય અભિગમ અપનાવીને ધ્યાનમાં લેવા અને વહીવટી આંટીઘૂંટીમાંથી તેને વાજબી ન્યાય અને સંતોષની અનુભૂતિ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. સ્વાગત ઓન લાઇનમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવશ્રી એ.કે. શર્મા, ખાસ ફરજ પરના અધિકારી જે.પી. મોઢા, ચન્દ્રેશ કોટક અને જનસંપર્કના સહયોગીઓ ઉપસ્થિત હતાં.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
