For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કહ્યું આપણે સૌએ ભારતમાતાનું ઋણ ચૂકવવાનું છે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે ઓડિશાના બિઝનેસમેન ડો. ગુપ્તાના પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિમોચન દરમિયાન પોતાનું પ્રવચન આપતા નરેન્દ્રી મોદીએ ગુજરાતના વિકાસના રાગ યથાવત રાખ્યો હતો. સાથે સાથે તેમણે ઉપસ્થિત લોકોને દેશના વિકાસ થકી ભારતમાતાના કર્જને ચૂકતે કરવાનું આહ્વાન કર્યું હતું.

મોદીએ દેશના વિકાસના મુદ્દા પર ભાર મુકીને જણાવ્યું કે 'અનિવાર્ય છે કે આપણે આઉટપુટના બદલે આઉટકમ પર ફોકસ કરીએ. ત્યારે જ સાચા પરિણામને પામીશું.' મોદીએ જ્યોતિગ્રામ યોજનાનું ઉદહરણ આપી જણાવ્યું કે આ યોજના થકી લોકોના ઘરમાં વીજળી તો આવી ગઇ, પરંતુ તેનાથી તેમના જીવન પર શું અસર પડી તે વધારે મહત્વનું છે. મિત્રો તેના થકી જે હકારાત્મક પરિણામો આવ્યા છે તેનાથી અમને એવું લાગે છે કે કંઇક વિકાસ થયો છે.'

narendra modi
મોદીએ જણાવ્યું કે 'આ દિવસોમાં બદલાવ આવ્યો છે, મીડિયાની ઇવેન્ટ હોય, પોલીટીકલ ઇવેન્ટ હોય. દરેકને આર્થિક વિષય પર પોતાની વાત રાખવાની તક ઉભી થઇ છે. એક રાજ્યએ કેટલા ટકા વિકાસ કર્યો અને અન્ય રાજ્યએ કેટલા ટકા નથી કર્યો વગેરે વગેરે.. પરંતુ આ જે ડિબેટ થઇ રહી છે તે સારી છે. મોદીએ કહ્યું કે આ ચર્ચા ભવિષ્ય માટે સારી છે. તેને બારીકાઇથી લોકો અધ્યયન કરશે. અને તેને અનુરુપ વિકાસની વ્યાખ્યા કરશે.'

તેમણે જણાવ્યું કે લોકો અગલ અલગ રાજ્યોથી ગુજરાતમાં આવે છે, તેમનામાં જે વિકાસની સ્પર્ધા છે તે થવી જોઇએ. બધાને એ દિશામાં જવું જોઇએ. ગુજરાતને ગર્વ છે કે ડેવલપમેન્ટને સેટ કરવામાં તે અગ્રેસર છે અને એના કારણે લોકો ગુજરાતમાં ચર્ચા કરવા આવી રહ્યા છે અને હજી આવવું પડશે.

મોદીએ જણાવ્યું કે એક પૂર્ણ રીતે આપણે રિસોર્સને જોઇએ તો આપણે એક ઉત્તમ પ્રકારનું ઉપ્તાદન કરી શકીશું. જ્યાં કોલસા છે ત્યાં વીજળી માટે કારખાનું બનાવવું જોઇએ. અત્યાર સુધી આપણે કોલસો ક્યાયથી કાઢતા હતા અને તેને બીજા રાજ્યમાં લઇ જઇ તેની વીજળી બનાવતા હતા. મોદીએ જણાવ્યું કે મારા કહેવાનું તાત્પર્ય એ છે કે નેચરલ રિસોર્સિસ, સ્કીલ રિસોર્સિસ, એજ્યુકેશન, નીડ વગેરે વગેરે. આ દેશ પાસે બધું જ છે. માટે તો એક સમયે દેશ સોનાની ચીડીયા રહ્યું હતું. મિત્રો બસ તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે હમણા ગુપ્તાજીએ કહ્યું કે 'મોદીજીએ ગુજરાતનું ઋણ ચૂકતે કરી દીધું છે હવે તેમને દેશનું ઋણ ચૂકતે કરવાની જરૂર છે. જેના માટે મોદીએ કહ્યું કે આપણે સૌએ ભારત માતાના ઋણને ચૂકાવવાનો છે માત્ર મોદીને નહીં. માટે આપણે સૌ કેવી રીતે તેનું ઋણ અદા કરીએ તે અંગે સૌએ લાગી જવું જોઇએ. જેથી આવનાર પીઢીઓ પર કોઇ ઋણ ના રહે. મોદીએ છેલ્લે છેલ્લે પુસ્તકના લેખક ડો. ગુપ્તાજીને શુભેચ્છાઓ આપી. તેમણે જણાવ્યું કે ગુપ્તાજીએ પોતાનો બિઝનેસ ધંધો છોડીને લેખનના કાર્યમાં લાગી ગયા હતા. અને ધંધો પોતાના પુત્રોને સોંપીને તેઓ હવે માત્ર લેખક રહી ગયા છે. મોદીએ તેમના પુસ્તક બદલ અભિનંદન પાઠવ્યા હતા.

English summary
Narendra Modi speak in book inauguration in Gandhinagar, we should pay the country's debt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X