આજે નરેન્દ્ર મોદી પટનામાં સ્વ. મિશ્રને શ્રધ્ધાંજલિ પાઠવશે

મુખ્યમંત્રીએ શોકાંજલિ સંદેશમાં 89 વર્ષીય સ્વ. કૈલાશપતિ મિશ્રને કુશળ સંગઠક અને સંનિષ્ઠ કર્તવ્ય પરાયણતાને વરેલા અગ્રણી ગણાવતાં જણાવ્યું છે કે ગુજરાતના રાજ્યપાલ તરીકે રાજ્યની વર્તમાન વિકાસયાત્રાનો નકશો કંડારવામાં તેમણે આપેલું માર્ગદર્શન સદાય અવિસ્મરણીય રહેશે.
મુખ્યમંત્રી રવિવારે બિહાર જઇને પટનામાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. કૈલાસપતિ મિશ્રના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરશે તથા સદ્દગતના પરિવારજનોને મળીને દિલસોજી પાઠવશે.
સદગતની અંતિમ યાત્રામાં ભાજપના નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી સહિતના તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
