નરેન્દ્ર મોદી ભારત યાત્રા પહેલા કેબિનેટનું વિસ્તરણ કરશે

મંત્રીમંડળના વિસ્તરણની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગચ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ પ્રધાન આનંદીબહેન પટેલ અને નાણાપ્રધાન નીતિન પટેલને મહત્ત્વની જવાબદારી સોંપાય એ દિશામાં વિચારણા ચાલી રહી છે. મોદી પ્રધાનમંડળના આ બંને પ્રધાનોને મહત્ત્વની જવાબદારી સોંપવા ઉપરાંત પ્રધાનમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરાશે.
રાજ્યના જે જિલ્લાઓનું પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ નથી તેવા જિલ્લામાંથી યુવા ચહેરાને પસંદ કરીને તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કરીને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની આશા આકાંક્ષાને સંતોષવામાં આવશે.
રાજ્યની ચાર વિધાનસભા બેઠક અને બે લોકસભાની બેઠક મળીને કુલ છ બેઠક પર ભાજપનું કમળ ખીલીને અગાઉ કોંગ્રેસના પંજામાં રહેલી આ તમામેતમામ બેઠકોને ભાજપે સંગઠન શક્તિના જોરથી આંચકી લીધા બાદ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયા બાદથી મોદી પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ગાંધીનગરના સત્તાના ગલિયારામાં ચર્ચાઓ થતી હતી.
નરેન્દ્ર મોદી અષાઢી બીજથી ભારત યાત્રા શરૂ કરશે?
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સાથે અષાઢી બીજના દિવસે નગરજનોનાં સુખ દુઃખ જાણવા નગરચર્યાએ નીકળે છે. મુખ્યપ્રધાન મોદી પોતાની ભારત યાત્રાના કાર્યક્રમ માટે અષાઢી બીજના પવિત્ર દિવસને પસંદ કરે તેવી શક્યતા છે એટલે બુધવાર, 10 જુલાઈ, 2013ના રોજથી મોદી ભારત ભ્રમણનો પ્રારંભ કરશે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
