1 નવેમ્બરે નરેન્દ્ર મોદી ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે
ગાંધીનગર, 30 ઓક્ટોબર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યારથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોર પર હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 1 નવેમ્બર, 2013 શુક્રવારના રોજ ધનતેરસના શુભ દિવસે યોજવામાં આવશે.
મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સવારે 9.30 વાગ્યે મંત્રી મંડળનું વિસ્તરણ કરાયા બાદ રાજયકક્ષાના નવા છ મંત્રીઓની શપથવિધિ યોજાશે. આ અંગેની માહિતી આપતા સરકારના પ્રવકતા મંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ છે કે વિધાનસભાની ચુંટણી પછી પ્રથમ વખત વિસ્તરણ થઇ રહયુ છે. જેમાં 6 મંત્રીઓ ઉપરાંત 4થી 5 સંસદીય સચિવની નિયુક્તિ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચુંટણી બીદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 26 ડિસેમ્બર, 2012ના રોજ 8 કેબીનેટ મંત્રીઓ અને 9 રાજયકક્ષાના મંત્રીઓ સાથે શપથ લીધા હતા. હાલ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 17 સભ્યોનું છે. નિયમ મુજબ હજુ વધુ 10 સભ્યો ઉમેરી શકાય તેમ છે. જેમાં હાલ મુખ્યમંત્રીએ રાજયકક્ષાએ નવા છ મંત્રીઓ ઉમેરવા નકકી કર્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાનમાં કોઇ મંત્રીઓને પડતા મુકાશે નહી. જો રાજયકક્ષાના કોઇ મંત્રીને બઢતી આપવાનુ નકકી થાય તો વસુબેન ત્રિવેદી, નાનુભાઇ વાનાણી અને પ્રદિપસિંહ જાડેજાને તક છે. હાલના તમામ મંત્રીઓ પાસે બેથી વધુ ખાતા હોવાથી વિસ્તરણ પછી કાર્યભારણ હળવો બનશે. નવા મંત્રીમંડળમાં લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી જ્ઞાતિ અને ભૌગોલિકનું સંતુલન જાળવવાના પ્રયાસો થશે.
હાલ સરકારમાં નીતિન પટેલ, આનંદીબેન પટેલ, બાબુભાઇ બોખિરીયા, રમણભાઇ વોરા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ અને ગણપત વસાવા કેબિનેટ મંત્રી તથા પરસોતમ સોલંકી, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, પ્રદિપસિંહ જાડેજા, લીલાધર વાઘેલા, રજનીકાંત પટેલ, ગોવિંદભાઇ પટેલ, નાનુભાઇ વાનાણી અને જયંતિભાઇ કવાડીયા રાજયકક્ષાના મંત્રી છે.
નવા મંત્રીઓમાં કોના નામ મોખરે?
નવા મંત્રી મંડળમાં જેતપુરથી ચુટાયેલા જયેશ રાદડિયા, કચ્છમાંથી નિમાબેન આચાર્ય, તેમના વિકલ્પરૂપે તારાચંદ છેડા અને વાસણભાઇ આહિરનું નામ છે. જ્યારે ભાવનગર જીલ્લામાંથી કેશુભાઇ નાકરાણી અથવા વિભાવરીબેન દવે, ઉતર ગુજરાતમાંથી દિલીપ ઠાકર, ભરૂચમાંથી દુષ્યંત પટેલ અથવા છત્રસિંહ મોરી, પાટણમાંથી રણછોડભાઇ રબારી અને ગાંધીનગરમાંથી શંભુજી ઠાકોરના નામની ચર્ચા છે. સૌરાષ્ટ્રમાં સૌથી સિનીયર ગણાતા જુનાગઢના મહેન્દ્ર મશરૂને મંત્રી પદ અથવા સંસદીય સચિવ પદ મળી શકે છે. અમદાવાદમાંથી રાકેશ શાહ અથવા ભુષણ ભટ્ટ અને અન્ય કેટલાક નામો પણ ચર્ચામાં છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
