For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરમુખત્યાર નહીં, દેશની સેવા કરવા માંગુ છું: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 28 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટીકાકારોની તે ટીપ્પણીને નકારી કાઢી છે જેમાં તેમને એક સરમુખત્યાર કહેવામાં આવે છે. ધ ઇકોનિસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું છે કે ગુજરાત રાજનીતિજ્ઞ, નોકરશાહી અને જનતા એક ટીમની જેમ કામ કરે છે. આવા સમયે તેમને સરમુખત્યાર કહેવું બિલકૂલ ખોટી વાત છે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે ટીમ ભાવના વિના એક અથવા બે વર્ષ કામ કરી શકાય પરંતુ સતત 12 વર્ષ સુધી કામ કરવું મુશ્કેલ છે.

વધુમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને પોતાને નીતિઓને ઇન્ટરનેટ પર અપલોડ કરી છે. અમે સામાન્ય પ્રજાને તેને વાંચવા અને સુચન આપવા માટે આમંત્રિત કરીએ છીએ. સંબંધિત સૂચન પર વિચાર કર્યા બાદ તે અંગે નિર્ણય કરવામાં આવે છે. વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે પ્રશ્ન પૂછતાં તેમને ફરી એકવાર જવાબ આપવાનું ટાળી દિધું હતું. નરેન્દ્ર મોદી કહ્યું હતું મુખ્યમંત્રી બન્યા પહેલાં મેં વિચાર્યું ન હતું કે એક હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ, હાં એટલું જરૂરી છે કે હું દેશની સેવા કરવા માંગું છું.

કંઇક બન્યા કરતાં એ વિચારવું જરૂરી છે કે ગરીબો અને સામાન્ય પ્રજાની સેવા કેવી રીતે કરી શકાય. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની પ્રજાએ અત્યાર સુધીમાં તેમણે 8 વખત સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે નવાઝવવામાં આવ્યાં છે. ધર્મનિરપેક્ષતા અંગે પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે આ અંગે તેઓ પોતે સર્ટિફિકેટ આપી ન શકે, બીજા લોકો તેમને સર્ટિફિકેટ આપી શકે.

English summary
Gujarat's chief minister, is arguably India's most controversial politician. But as the country begins to look for a new prime minister, he is gaining attention, and plaudits, at a national level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X