પારૂલ યુનિવર્સિટીના કર્મચારીના મતૃદેહ સાથે મળી આવી ૮ પાનાની સ્યૂસાઇટ નોટ
વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી છે. પારૂલ યુનિવર્સિટીના કર્મચારીએ સ્યૂસાઇડ કર્યો છે અને યુનિવર્સિટીમાં કૌભાંડ આચરાતા હોવાની વાત સ્યૂસાઇડ નોટમાં લખી છે.
વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી છે. પારૂલ યુનિવર્સિટીના કર્મચારીએ સ્યૂસાઇડ કર્યો છે અને યુનિવર્સિટીમાં કૌભાંડ આચરાતા હોવાની વાત સ્યૂસાઇડ નોટમાં લખી છે. પારૂલ યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીની શંકાસ્પદ હાલતમાં લાશ તેમની જ કારમાંથી મળી આવી હતી. મૃતક હરીશ રાણાએ આઠ પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને નાપાસ કરીને પાસ કરાવવાના રૂપિયા ઉઘરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિગતો એવી છે કે, પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લા ૬ વર્ષથી વિવિધ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી ચુકેલ અને હાલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા હરિશ ઇશ્વરભાઇ રાણા, પત્ની રૂપલ, પુત્રો રૂષી અને વેદાંત સાથે ડી.104, ટાગોર નગર, ઓલ્ડ પાદરા રોડ પર રહેતા હતા. કાલે મંગળવારે સવારે તેઓ નિત્યક્રમ મુજબ સવારે 8.30 વાગ્યે ઘરેથી કાર લઇને પારૂલ યુનિવર્સિટી જવા નીકળ્યા હતા.

સામાન્ય રીતે તેઓ સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પરત આવી જતા હોય છે પરંતુ 8 વાગ્યા સુધી ઘરે નહી આવતા પુત્ર રૂષીએ ફોન લગાવ્યો હતો. ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે રૂષીએ તુરંત કાકા શૈલેષભાઇને જાણ કરી હતી. પરિવારના સભ્યોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. રૂષી અને તેનો મિત્ર તુરંત બાઇક લઇને પારૂલ યુનિવર્સિટી પહોંચ્યા હતા તો સિક્યોરિટીએ કહ્યું હતુ કે બધી ઓફિસો બંધ થઇ ગઇ છે અને અંદર કોઇ નથી.

મૃતક હરિશની નોટમાં વિદ્યાર્થીઓ પાસે વધારાની ફી ઉઘરાવતા હોવાનો પણ ઉલ્લેખ છે. નિયમ વિરૂદ્ધ એડમિશન આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત પત્રમાં ટિચીંગ સ્ટાફ હોવા છતા ખોટી સહીઓ કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, કમાટી બાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલી કારમાંથી પારુલ યનિ.ના કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારથી મૃતકના ભાઈએ શંકાઓ વ્યક્ત કરી હતી. જે પત્ર મળ્યા બાદ વધારે ઘેરી બની છે. મૃતકના ભાઈએ પણ ઘણા સમયથી તેમના ભાઈ પર પારૂલ યુનિવર્સિટી દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું તેમજ તેમના ભાઈની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક હરીશ રાણાએ લખેલા પત્રમાં ખોટા સ્કોલશીપના પેપર, ખોટા પેશન્ટ બતાવી કેસની
સંખ્યા વધારે દર્શાવાનો પણ આરોપ લગાવાયો છે. સાથે જ મૃતકે પોતે રૂ.1.20 લાખ લેવાના મામલે નિર્દોષ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
