તસવીરોમાં જુઓ રૂપાલમાં માતાજી પર ભક્તોએ ચઢાવ્યું 5 લાખ કિલો ધી
ગાંધીનગર પાસે રૂપાલ કરીને એક ગામ છે જ્યાં દર નવરાત્રીની આઠમના રોજ માતાજીની પલ્લી ભરવામાં આવે છે. અહીં માતાજીની પલ્લીમાં ગામના લોકો માતા વરદાયીને ધીનો ચઢાવા કરે છે. અને સાથે જ જે લોકોએ કોઇ બાધા કે માનતા માની હોય તે પણ માં પર શુદ્ધ ધીના અભિષેક કરે છે.
આ વર્ષે પણ અંદાજે 11 લાખ ભક્તોએ પલ્લી વખતે માંના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીં માતાજીને પલ્લીમાં એટલી બધી માત્રામાં ધી ચઢાવામાં આવે છે કે ગામમાં અને મંદિર પરિસરમાં રીતસરની ધીની નદીઓ વહેવા લાગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અંદાજે 5 લાખ ધી માંને ચઢાવામાં આવ્યું છે. ત્યારે રૂપલ પલ્લીની આ ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

માં વરદાયી
આ છે ગાંધીનગર પાસે આવેલ રૂપાલ ગામમાં સ્થિત માં વરદાયીનું પ્રસિદ્ધ મંદિર. જ્યાં નવરાત્રીની આઠમના રોજ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.

માં વરદાયી
કહેવાય છે કે આ મંદિરમાં સ્થિત માં વરદાયીથી તેના ભક્તોની તમામ ઇચ્છા પૂરી કરે છે. અને જ્યારે માં ભક્તોની માનતા અને બાધા પૂરી કરે છે લોકો બાધા પૂરી કરવારૂપે આઠમના રોજ તેમના પર શુદ્ધ ધીનો અભિષેક કરે છે.

ગામમાં ધીના ટેક્ટર ફરે છે
નવરાત્રીની આઠમ પહેલા જ ગામ ભરના લોકો પાસેથી શુદ્ધ ધી મંગાવામાં આવે છે. આ માટે રીતસરના ગામમાં ધી ભરેલા ટેક્ટર ફરે છે.

રાખી રાત માંની પૂજા
ત્યારે કાલે આઠમ નિમત્તે અહીં લગભગ 11 લાખ ભક્તોએ માંના મંદિરમાં હાજરી આપી હતી અને લગભગ 5 લાખ કિલો શુધ્ધ ધીનો માં પર અભિષેક કરવામાં આવ્યો હતો.

ધીની ડોલો
આ ફોટામાં તમે જોઇ શકો છો કે માતાજીને ચઢાવા માટે ધીની બાલટીઓ ભરાઇ ભરાઇને આવી રહી છે.

રાખી રાત ચાલે છે પર્વ
આઠમના દિવસે અહીં આખી રાત આ રીતે કાર્યક્રમ ચાલે છે અને મોટી સંખ્યામાં ધીને માતાજી પર ચઢાવામાં આવે છે. ફોટામાં ધીનો અભિષેક થતો તમે જોઇ શકો છો.

ધી ની નદીઓ
અહીં માતાજીને એટલા પ્રમાણમાં ધી ચઢાવામાં આવે છે કે મંદિર પરિસર અને આસપાસ રીતસરની ધીની નદીઓ વહે છે.

ધીના રેલા
ત્યારે અનેક સ્વયંસેવકો આ ધીને તગારામાં ભરે છે અને લઇ જાય. તેમ છતાં સવાર સુધીમાં અહીં અનેક જગ્યા ધીના થરો જામેલા દેખાય છે.

માનતા
અહીં ગ્રામજનો દ્વારા તો ધી ચઢાવામાં આવે જ છે સાથે જ જે લોકો માતાજીની માનતા માની હોય છે તે પણ માંને ધી ચઢાવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
