ભાજપે ગુજરાતમાં કેમ બદલવી પડી આખી સરકાર? શું છે પોલિટિકલ ગેમ?
ભાજપે ગુજરાતમાં કેમ બદલવી પડી આખી સરકાર? શું છે પોલિટિકલ ગેમ?
ગુજરાતમાં નવી સરકારની રચના થઈ ગઈ છે, મુખ્યમંત્રી સહિત આખા મંત્રિમંડળે શપથ લઈ લીધા, જો કે નવા મંત્રિમંડળમાં પાછલી સરકારના એકેય મંત્રીને જગ્યા આપવામાં આવી નથી. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પત્તું પણ કપાયું. આ હિસાબે પણ આ વખતેની સરકાર રચના અતિ મહત્વની માનવામાં આવી રહી છે. કેમ કે નરેન્દ્ર મોદી બાદ આનંદીબેન પટેલ સીએમ બન્યાં હતાં અને તેમના બાદ વિજય રૂપાણીએ ખુરશી સંભાળી હતી, તે સમયે પણ જૂના ચહેરાઓને જગ્યા આપવામાં આવી હતી, પરંતુ આ વખતે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જેની પાછળનાં કેટલાંક કારણો અહીં જણાવવામાં આવ્યાં છે.

પાટીદાર છે ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં પાટીદાર સમુદાયને ભાજપનો કોર વોટબેંક માનવામાં આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં આ સમાજ ભાજપથી વિખુટો પડતો જઈ રહ્યો છે. જેનું પરિણામ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ સ્થનિક ચૂંટણીમાં જોવા મળ્યું. આમ આદમી પાર્ટીએ સુરત જેવા ભાજપના ગઢમાં જબરી બઢત હાંસલ કરી, અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ.
કેશુભાઈ પટેલના નિધન બાદ ભાજપમાં પાટીદાર સમુદાયનો એવડા કદનો મોટો નેતા નહોતો રહ્યો. આનંદીબેન પટેલ ગુજરાતથી બહાર છે. સાથે જ યુવા પાટીદાર નેતા પોતાના સમુદાયથી સીએમ બનાવવાની માંગ ખુલ્લેઆમ કરી રહ્યા હતા.આ હિસાબે ભાજપે ભૂપેન્દ્ર પટેલ તરીકે પાટીદાર ચહેરાના નામ પર આવતા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં જવાનો ફેસલો કર્યો.

પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો?
નરેન્દ્ર મોદી પીએમ બન્યા અને અમિત શાહ કેન્દ્રની રાજનીતિમાં ગયા બાદ રાજ્યમાં પાટીદાર આંદોલન થયું. ભાજપે 2017માં મોદી-શાહ વિના વિધાનસભા ચૂંટણી લડી, ત્યારે ભાજપની સીટ ઘટીને 99 રહી ગઈ હતી. હવે પાર્ટી 2022ની ચૂંટણીમાં કોઈ જોખમ નથી ઈચ્છતી.
સૌથી મોટો સવાલ છે કે ભાજપ મુખ્યમંત્રી બદલવામાં મોટા અથવા ચર્ચિત ચહેરાઓની જગ્યાએ લો પ્રોફાઈલ નામો પર ભરોસો કેમ જતાવી રહી છે. ચૂંટણી પહેલાં એન્ટી ઈનકંબેંસી ફેક્ટરને પગલે પાર્ટી સીએમ અને મંત્રીઓને બદલવાનો દાવ ખેલે છે. આ દરમિયાન નેતૃત્વમાં બદલાવથી પાર્ટીમાં અસંતોષ પેદા ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ચર્ચિત ચહેરાઓની પોતાની લૉબી હોય છે, એવામાં કોઈ એકને કમાન આપવાથી બીજો પક્ષ નારાજ થઈ શકે છે. જેનું નુકસાન પાર્ટીએ ઉઠાવવું પડી શકે છે.

સૌને સાધવાની કોશિશ
નવા મંત્રિમંડળમાં 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ, 1 દલિત અને 1 જૈન સમુદાયના ધારાસભ્યને જગ્યા આપવમાં આવી છે. આવી રીતે ક્ષેત્રના હિસાબે પણ મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી પહેલાં એક રીતે નવા સ્વરૂપમાં બધાને સાધવાની કોશિશ કરાઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
