વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે જોડાયેલા પાર્વતી મંદિર સહિતના પ્રોજેક્ટનો શિલાન્યસ કર્યો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સોમનાથ મંદિર સાથે જોડાયેલા પાર્વતી મંદિર સહિતના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે દેશમાં ધાર્મિક પ્રવાસનને મજબૂત કરવાની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સોમનાથ મંદિર સાથે જોડાયેલા પાર્વતી મંદિર સહિતના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે દેશમાં ધાર્મિક પ્રવાસનને મજબૂત કરવાની જરૂર છે. તેનાથી યુવાનોને રોજગારી મળશે. એટલું જ નહીં, તેઓ તેમના ઇતિહાસ વિશે પણ માહિતી મેળવશે. સોમનાથના ઈતિહાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આતંકવાદથી શ્રદ્ધાનો નાશ થઈ શકતો નથી. આપણે આપણા ઇતિહાસમાંથી શીખવાનું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સોમનાથ સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ઘણી હસ્તીઓ પણ હાજર રહી હતી, લાલકૃષ્ણ અડવાણી સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે વિશ્વભરમાંથી લોકો સોમનાથ મંદિરના દર્શન કરવા આવતા રહ્યા છે. પરંતુ હવે તમે અહીં સમુદ્ર દર્શન સહિત અન્ય ઘણી વસ્તુઓ જોઈ શકશો. હવે લોકો અહીં પાર્વતી મંદિર અને જુના સોમનાથ મંદિરના દર્શન પણ કરી શકશે. તેનાથી લોકોને રોજગારીની નવી તકો મળશે. પીએમ મોદીએ કહ્યું કે આજે સોમનાથ એક્ઝિબિશન ગેલેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ યુવાનોને ઇતિહાસ સાથે જોડાવાની અને તેના પ્રાચીન સ્વરૂપમાં જોવાની તક આપશે. સોમનાથ સદીઓથી સદાશિવની ભૂમિ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્વાસ અને પ્રેરણાનું સ્થળ છે. તેમણે કહ્યું કે જ્યારે દુનિયાની કોઈ પણ વ્યક્તિ તેને જુએ છે, ત્યારે તે માત્ર મંદિર જ નથી જોતી, પરંતુ તે એવું અસ્તિત્વ જુએ છે, જે માનવતાના મૂલ્યો જણાવે છે.
પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ પદ સંભાળ્યું હતું, તેમણે કહ્યું કે આજે પણ આ મંદિર સમગ્ર વિશ્વને કોલ આપી રહ્યું છે કે સત્યને અસત્યથી હરાવી શકાતું નથી. વિશ્વાસને આતંકથી કચડી શકાતો નથી. સેંકડો વર્ષોના ઇતિહાસમાં આ મંદિર કેટલી વાર તોડાયું છે, મૂર્તિઓ તોડી છે. પરંતુ જેટલી વાર તેને તોડવામાં આવ્યુ તેટલી વાર તે ઉભુ થયુ છે. આજે સોમનાથ મંદિર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક સંદેશ છે કે તોડનાર શક્તિઓ થોડા સમય માટે પ્રભુત્વ ધરાવે છે. પરંતુ તેમનું અસ્તિત્વ કાયમી નથી. તેઓ લાંબા સમય સુધી માનવતાને દબાવી શકતા નથી. સોમનાથ મંદિરની આ ભવ્યતા અમુક વર્ષની યાત્રાનું પરિણામ નથી પણ સદીઓની સંઘર્ષનું પરિણામ છે.
પ્રધાનમંત્રીએ પાર્વતી દેવી મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રસંગે હું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પણ નમન કરું છું, જેમણે દેશનું પ્રાચીન ગૌરવ પાછું લાવવાનું કામ કર્યું હતું. તેમણે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ચેતનાનું પ્રતીક બનાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં આધુનિકતા અને પ્રાચીનતાના સંગમને અનુસરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તે જરૂરી છે કે આપણે ધાર્મિક પ્રવાસનની શક્યતાઓ શોધીએ. ધાર્મિક સ્થળો સાથે સ્થાનિક અર્થતંત્રનો સંબંધ મજબૂત બનાવીએ.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
