રાહુલ ગાંધી આજે બીજા દિવસે કરશે કોર્નર મિટિંગ
રાહુલ ગાંધી આજે તેમના બીજા દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓના પરિવારને મળવાની સાથે જ અનેક જગ્યાએ કોર્નર મીટિંગ યોજશે અને ચૂંટણી પ્રચાર કરશે. જાણો આ અંગે વધુ અહીં
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. આજના દિવસે મોટા ભાગે તેમની કોર્નર મિટિંગો યોજાશે. સાથે જ રાહુલ ગાંધી દાંતા બનાસકાંઠાના સંનિષ્ઠ કોંગ્રેસી ઇર્શાદ બેગ મિર્ઝાના નિધનનો શોક વ્યક્ત કરવા જશે. અને અમદાવાદ ખાતે રહેતા મિર્ઝાના પરિવારજનોને સાંત્વના પાઠવશે. ત્યાર બાદ 9-30 વાગ્યે કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીના નિવાસ સ્થાને જશે અને મધુસુદન મિસ્ત્રીના પુત્રના નિધનની સાંત્વના પાઠવશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સેક્ટર-18માં માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને જઈને તેમના ખબર અંતર પૂછશે.
11-15 AM દહેગામ ખાતે સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપીને ચૂંટણીપ્રચારનો આરંભ કરશે
12-10 PM અરવલ્લીનાં બાયડ ખાતે કોર્નર મિટીંગ યોજશે.
1:05 PM બાયડનાં સાંતભા ખાતે સ્વાગત કરવામાં આવશે.
2-10 PM લુણાવાડામાં કોર્નર મિટીંગ યોજશે.
3-15
PM
સંતરામપુરમાં
કોર્નર
મિટીંગમાં
હાજરી
આપશે
અને
પછી
સાંજે
4
વાગ્યે
રાહુલ
ગાંધીના
મારગડા
ચોકડી
ખાતે
સ્વાગત
તેમજ
સંબંધોન
કાર્યક્રમનું
આયોજન
છે.
4-50
PM
દાહોદનાં
મવુડા
ચોકડી
ખાતે
કોર્નર
મિટીગમાં
હાજરી
આપશે.
ત્યાર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે