નરેન્દ્ર મોદી પર રેણૂકા ચૌધરીના વ્યક્તિગત પ્રહારો

રેણુકા ચૌધરીએ મોદી પર હુમલો કરતા કહ્યું, '' જે વ્યક્તિ સ્ત્રીઓનું માન નથી જાળવી શકતી તે તમારા લોકોની વ્યથાને કેવી રીતે દૂર કરશે.''
કોંગ્રેસના તેજ તર્રાર નેતા રેણૂકા ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યા. ગુજરાતના જૂનાગઢમાં કોંગ્રેસની સભામાં રેણૂકા ચૌધરીએ કહ્યું કે મોદીનો નકાબ હટી ગયો છે અને ભાજપનું બેન્ડ વાગી ગયું છે.
નોંધનીય છે કે, મોદીએ હિમાચલ પ્રદેશમાં કોઇપણનું નામ લીધા વગર ઇશારા-ઇશારામાં કેન્દ્રીય મંત્રી શસિ થરૂરની પત્ની વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી.
મોદીના આ નિવેદન પછી આખી કોંગ્રેસ પાર્ટી થરૂરના સમર્થનમાં આવી ગઇ હતી. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહએ સિમલામાં પત્રકાર પરિષદમાં મોદીને પરણિત હોવા અંગે અને તેનો ઉલ્લેખ ચૂંટણી ફોર્મમા નહીં કરવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નરેન્દ્ર મોદીના આ નિવેદનથી શરૂ થયેલો વિવાદ તેમનો પીછો છોડી રહ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં થનારા વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ રેલી યોજીને મોદી પર ભારે પડવા પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ગુજરાતના વિવિધ શહેરોમાં સભાઓ યોજી રહ્યાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
