પ્રજાસત્તાક દિન 2018: મહેસાણા ખાતે રાજ્યપાલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક ઉજવણી કરી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 આસિયાન દેશોના વડાઓ સાથે 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યાં છે, ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક ઉજવણી કરી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સીએમ રૂપાણી અને રાજ્યપાલ કોહલી સલામી પરેડમાં પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુરૂવારે જ સીએમ રૂપાણી મહેસાણા પહોંચી ગયા હતા અને એ દિવસે કેટલાક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે સાંજે મનોહર મહેસાણા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ રૂપાણીએ હાજરી આપી હતી. આ ઉજવણીના ભાગરૂપે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટ કરવામાં આવી છે, જે હેઠળ શહેરમાં આવેલ જાહેર સ્થળો અને કપાઉન્ડ વોલ પર વિવિધ ચિત્રો દોરી નાગરિકોને વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા છે. જેમ કે, નશાબંધી, સ્વચ્છતા અભિયાન, ભૃણ હત્યા નિવારણ, આરોગ્ય અને પ્રવાસન જેવા વિવિધ વિષયોને આવરી લેતા ચિત્રો દોરવામાં આવ્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
