કચ્છ બોર્ડર પર સેટેલાઇટ સિગ્નલ મામલે સુરક્ષા એજન્સી મૌન
કિસ્તાન સરહદ પાસે આવેલા કચ્છમાં ટ્રેક થયા સેટેલાઇટ સિગ્નલ. જો કે સુરક્ષા એજન્સીઓએ આ અંગે શું કહ્યું જાણો અહીં.
ભારતમાં
26મી
જાન્યુઆરીને
લઇને
ચાંપતો
સતર્કતા
બંદોબસ્ત
ગોઠવવામાં
આવતો
હોય
છે
ત્યારે
એક
તરફ
દિલ્હીમાં
અક્ષરધામ
ઉપર
આંતકવાદી
હુમલાનો
પર્દાફાશ
થયો
છે
તો
બીજી
તરફ
કચ્છમાં
સેટેલાઇટ
ફોનથી
પાકિસ્તાનમાં
વાત
થઈ
હોવાના
અહેવાલ
પ્રાપ્ત
થયા
છે.
સૂત્રોના
જણાવ્યા
અનુસાર
કચ્છના
લખપત
અને
ખાવડા
વચ્ચે
આવેલા
ગામમાંથી
સેટેલાઇટ
ફોન
દ્વારા
વાતચીત
થઈ
હોવાના
સિગ્નલો
પકડાયા
છે
તેવી
પરિસ્થિતિમાં
આસપાસના
ગામના
લોકોના
શંકાસ્પદ
લોકોની
પૂછપરછ
કરવામાં
આવી
રહી
છે.
ખાસ
કરીને
ખાવડા
આ
બાબતે
શંકાના
પરિઘમાં
વધારે
છે.
જોકે
સુરક્ષા
એજન્સીઓએ
આવી
કોઈ
બાબતની
પુષ્ટિ
કરી
નથી.
કચ્છ સિગન્લ મામલે ભારતીય સીમાથી દૂર બોર્ડર પિલર નંબર 1108 પાસે 300 મીટર દૂર આંતરરાષ્ટ્રીય સીમાં પાસે રવિવારે સાંજે 5.44 મિનિટે સેટેલાઇટ ફોન સક્રિય થવાના અહેવાલ હતા. જેના પગલે BSF સાબદું બન્યું છે. અને આસપાસના ગામોમાં તપાસ ચાલી રહી છે. ત્યારે એક તરફ જ્યાં આ વખતે પણ ગણતંત્ર દિવસે આતંકવાદી હુમલો થવાની સંભાવના રહેલી છે ત્યાં આ રીતના સિગ્નલો પાકિસ્તાન તરફથી બોર્ડર પર ટ્રેક થવા એક ગંભીર મામલો બને છે.