શંકરસિંહ વાધેલાએ લીધો હાર્દિકનો પક્ષ, બીજેપી પર કર્યો પ્રહાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ બીજેપીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. પાટીદારો માટે અનામતની માંગણી કરતા હાર્દિક પટેલ પર લાગેલા રાજદ્રોહના આરોપ અંગે બોલતા શંકર સિંહ વાધેલા કહ્યું કે હાર્દિક પટેલનો ફોન ટેપ કરીને સરકારે તેના વ્યક્તિગત અધિકારો પર તરાપ મારી છે. વધુમાં શંકરસિંહે પાટીદારોને ધર્મપરિવર્તન ના કરવાની સલાહ આપી છે.
વધુમાં ઇન્ડોનેશિયામાં છોટા રાજનની ધરપકડ અંગે જણાવતા શંકરસિંહ વાધેલા કહ્યું કે બીજેપી અને છોટા રાજન બન્ને એક જ છે. આ પહેલા પણ એનડીએ સરકારે તેની મદદ કરી હતી. અને છોટા રાજન અને બીજેપી સરકારના આ સંબંધો બહુ પહેલાથી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ શંકર સિંહ વાધેલાએ આકાર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી ખાલી અનામત જાળવી રાખવાની વાતો જ કરે છે. ખરેખરમાં તો કેન્દ્ર સરકાર 420 દિવસો પૂરા કરવા છતાં પોતાના એક પણ વચન પૂરું નથી કરી શકી. વધુમાં તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીમાં ગુજરાતનું મોડેલ બતાવીને નરેન્દ્ર મોદી બિહારની જનતાને ભ્રમિત કરી રહ્યા છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
