શુભેચ્છા પાઠવવાના નામે શંકર સિંહે કોંગ્રેસને આમ સંભળાવ્યું
શંકર સિંહ વાઘેલાએ આપી અહમદ પટેલને જીતની શુભેચ્છાઓ. સાથે જ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. જાણો આ ખબર વિષે વિગતવાર અહીં.
ગુરુવારે, કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ અહમદ પટેલની જીત પછી તેમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ જે અહમદ પટેલને તેમણે વોટ નહતો આપ્યો તેમના અંગે બોલતા બાપુએ કહ્યું હતું કે પટેલ અને અમારો સંબંધ છે અને રહેશે. જો કે આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની જાટકણી નીકાળવાનો એક મોકો નહતો છોડ્યો. કોંગ્રેસ પર એક પછી એક આક્ષેપ કરતા શંકર સિંહે કહ્યું કે જો જીત આટલી જ સરળ હતી તો પછી કોંગ્રેસે કેમ તેમના ધારાસભ્યોને બંધક બનાવીને બેંગલુરુ લઇ જવા પડ્યા? વધુમાં તેમણે દોષનો ટોપલો દિલ્હી તરફ ફેંકીને કહ્યું કે અહમદ પટેલને દિલ્હીવાળા હરાવવા માંગતા હતા. સાથે જ તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી 36 ધારાસભ્યો જવાના હતા અને આ માટે જ તેમણે બંધક બનાવ્યા હતા.

જો કે પોતાનો મત ભાજપને આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ ખુલાસો આપતા કહ્યું કે અશોક ગહેલોતને મેં પહેલા જ કહ્યું હતું જો તેમણે પોતાના શબ્દો પાછા ના લીધા તો હું રાજીનામું આપીશ. તેમણે પોતાના શબ્દો પાછા ના ખેંચતા મારે ભાજપને વોટ આપવો પડ્યો. વધુમાં બાપુએ કોંગ્રેસ્ દ્વારા કરવામાં આવેલા ચૂંટણીપંચની ફરિયાદને લઈને જણાવ્યું હતું કે, બધુ પહેલેથી પ્લાનિંગ કરેલ હતું અને પરિણામ પહેલા જ દલીલ તૈયાર રાખવામાં આવ્યા હતા. ચૂંટણી એજેન્ટ એવું ના કહેવું જોઇકે બધાને તમારો મત દેખાડો અને તેમણે પોતાની જગ્યાએથી ઉભું પણ ના થવું જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ 47 ધારાસભ્યોની માલિકે જીત માટે બીજા પક્ષોના ધારાસભ્યો પર આધાર કેમ રાખવો પડ્યો. તેમણે આ આખી જીત માટે જીડીયુ અને એનસીપીના વોટની મદદને કારણભૂત જણાવી હતી. જો કે આજે કોંગ્રેસમાંથી જે 14 ધારાસભ્યોને નીકાળવામાં આવ્યા તે અંગે બોલતા શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું કે જે લોકોએ ભાજપને વોટ આપ્યા છે તેમની ચિંતા હવે ભાજપ કરશે. જો કે પોતે આવનારા સમયમાં કોઇ પણ પાર્ટીમાં જોડાવાના નથી તેવી વાત પણ તેમણે જણાવી હતી.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
