સુરત રેપ કેસ: નારાયણ સાંઇએ સ્વીકાર્યું 8 મહિલાઓ સાથે હતા શારીરિક સંબંધ
અમદાવાદ, એક મોટા સમાચાર નારાયણ સાંઇ રેપ કેસના આવી રહ્યાં છે. રેપ કેસમાં નારાયણ સાંઇએ બળાત્કારના ગુનાને કબૂલી લીધો છે. આજન તાજા સમાચાર અનુસાર કોર્ટમાં હાજર થતાં પહેલાં મંગળવારે નારાયણ સાંઇ અને પીડિતાને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ નારાયણ સાંઇએ પીડિતાની સાથે શારીરિક સંબંધ સહમતિથી બાંધ્યો હતો.
જેનો પીડિતાએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે નારાયણ સાંઇ એકદમ ચાલાક છે અને જુઠ્ઠુ બોલી રહ્યો છે તેને ફક્ત મારે ઇજ્જત સાથે રમત રમી નથી પરંતુ તેને દરરોજ એક નવી છોકરી જોઇતી હતી એટલા માટે તે આશ્રમમાં છોકરીઓ સાથે સંબંધ બનાવતો હતો ક્યારેક પોતાના શોખ માટે તે છોકરીઓને બહારથી મંગાવતો હતો.

કહેવામાં આવે છે કે પૂછપરછ દરમિયાન નારાયણ સાંઇએ ફક્ત બળાત્કારનો ગુનો કબૂલ્યો એટલું જ નહી પરંતુ એમપણ કહ્યું કે સાધિકા જમનાનો પુત્ર મોક્ષ પણ તેનો પુત્ર છે, આ ઉપરાંત નારાયણ સાંઇએ 8 મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત કબૂલી છે.
પોલીસને નારાયણ સાંઇ માટે આજ સુધીના રિમાંડ મળ્યા હતા, આજે પોલીસ નારાયણ સાંઇને કોર્ટમાં રજૂ કરશે. જોઇએ કોર્ટનું આગામી પગલું શું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂરતની બે બહેનો નારાયણ સાંઇ અને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જેના ચક્કરમાં નારાયણ સાંઇને 58 દિવસ પછી ધરપકડ કરવામાં આવી.












Click it and Unblock the Notifications
