For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો આતંક: 23ના મોત, 82 સારવાર હેઠળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

swine-flu
ગાંધીનગર, 14 ફેબ્રુઆરી: ઠંડીની શરૂઆત બાદ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કારણે 23 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 82 લોકો સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. ઉત્તર ભારતમાં સ્વાઇન ફ્લૂનો આતંક ખૂબ જ ઝડપથી જ ફેલાઇ રહ્યો છે. ઘણા રાજ્યો આ જીવલેણ બિમારીની ઝપેટમાં છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂની બિમારીથી મરનારાઓની સંખ્યા 95 સુધી પહોંચી છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે રાજસ્થાન જ્યાં અત્યાર સુધી 64 લોકોના મોત થઇ ચૂક્યા છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પણ સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા છે. જ્યારે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કારણે 23 લોકોના મોત નિપજ્યાં છે અને 82 લોકો સારવાર લઇ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી અને ગુજરાત સરકારના નિતિન પટેલે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે આ વાતાવરણમાં સ્વાઇન ફ્લૂના પ્રકોપના કારણે 23 લોકોના મોત નિપજ્યાં છે અને વિભિન્ન હોસ્પિટલમાં 82 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

નિતિન પટેલે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ઠંડી પડવાના કારણે સ્વાઇન ફ્લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમને કહ્યું હતું કે સ્વાઇન ફ્લૂનું પરિક્ષણ કરવા માટેની કિટનો ભાવ 5,000 રૂપિયા છે. જે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં મફતમાં આપવામાં આવી રહી છે.

English summary
Swine flu has claimed 23 lives in Gujarat since the onset of winter and 82 patients are being treated, the government said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X