તારક મહેતાના નિધન બાદ PM મોદી સહિત લોકોએ આપી શ્રદ્ધાંજલિ
પ્રસિદ્ધ લેખક તારક મહેતાની મૃત્યુ પછી સીએમ વિજય રૂપાણી સમતે અન્ય જાણીતા લોકોએ શું કહ્યું જાણો અહીં.
અમદાવાદમાં આજે જાણીતી ગુજરાતી લેખક તારક મહેતાનું 88 વર્ષની ઉંમરે લાંબી બિમારીના કારણે મૃત્યુ થયું છે. વહેલી સવારે થયેલા તેમના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલથી લઇને ગુજરાતના મુખ્યમંત્રીએ આ પદ્મશ્રીથી સન્માનિત લેખકને શ્રદ્ધાજંલિ અર્પી છે. નોંધનીય છે કે તારક મહેતાએ ગુજરાતી ભાષામાં અતુલ્ય ફાળો આપ્યો છે. 80થી વધુ પુસ્તકો લખનાર આ લેખક જીવ્યા ત્યાં સુધી લોકોને હસવાનો નિરાળો અંદાજ આપતા રહ્યા છે.
તેમના નિધન પર જ્યાં મોદીએ તેમના વ્યંકને યાદ કર્યા ત્યાં જ આજે ગુજરાત વિધાનસભામાં પણ આ પ્રશ્નકાળની શરૂઆતમાં પંકજ મહેતાએ આજે દિવસભર હસતા રહેવાની ધારાસભ્યોને અપીલ કરી. ત્યારે દુનિયાને ઉલ્ટા ચશ્મા પહેરીને સાદી, સરળ રીતે હસાવનાર લેખક તારક મહેતાના નિધન પર અરવિંદ કેજરીવાલ, સીએમ વિજય રૂપાણી અને પીએમ સમેત કોણે શું કહ્યું વિગતવાર વાંચો અહીં....
|
પરેશ રાવલ
બોલીવૂડના જાણીતા હાસ્ય કલાકાર પરેશ રાવલે પણ તારક મહેતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અને મહેતા સાહેબની શ્રદ્ધાજંલિ આપી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
|
વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આ જાણીતી લેખક તેવા તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તે હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લઇ આવતા હતા. તેમના પરિવારને તેમની આ ઓચિંતી મૃત્યુ પછી મારી શ્રદ્ધાજંલિ.
|
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તારક મહેતાના નિધન બાદ શોક વ્યક્ત કર્યો હતો. અને ટ્વિટર દ્વારા આ અંગે નિવેદન આપતા તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
|
અમિત શાહ
તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ તારક મહેતાના નિધન પર તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી. નોંધનીય છે કે આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થતા જ ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. અને પંકજ મહેતાએ તેમના પ્રથમ પ્રશ્નમાં જ તારક મહેતાને યાદ કરીને દિવસભર ધારાસભ્યોને હસતા રહેવાની અપીલ કરી હતી.
|
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
તારક મહેતાના નિધન બાદ દિગ્ગજોઓ આપી આ રીતે શ્રદ્ધાંજલિ
તારક મહેતા વિષે બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના લેખનમાં ભારતની વિવિધતામાં એકતા જોવા મળતી હતી. ટપ્પુ સમેતના પાત્રા લોકોના મનમાં વસી ગયા છે. વધુમાં પીએમએ તરાક મહેતા સાથેના સંસ્મરણો યાદ કરતા કર્યા હતા. અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને કહ્યું હતું કે જીવનભર તેમણે વ્યંગ અને કલમનો સાથ નહતો છોડ્યો.

સંજય છેલ
ગુજરાતના જાણીતા હાસ્ય લેખક સંજય છેલ પણ પોતાની સોશ્યલ મીડિયો પર એક પોસ્ટ લખીને તારક મહેતાને યાદ કર્યા હતા. અને તેમને શ્રદ્ઘાજંલિ અર્પી હતી.

તારક મહેતા ટીમ
તો બીજી તરફ તારક મહેતાની સિરીયલની ટીમે પણ તારક મહેતાની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. હસિત મોદીએ તેમની મોત પર કહ્યું કે તારક મહેતા હંમેશા મને એક દિકરાની જેમ રાખતા. તે લાંબા સમયથી બિમાર હતા ત્યારે આજે તેમના નિધન પર તેમણે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
