બનાસકાંઠામાં હડકંપ મચાવનાર હિંસક રીંછ ઠાર મરાયું
વનવિભાગના કર્મચારીઓ દ્વારા ત્રણ ગોળીઓ ધરબી દઈ રીંછને ઠાર મારવામાં આવ્યુ.
દાંતા તાલુકાના ખાપરા ગામના જંગલમાં વન કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હિંસક રીંછને આખરે બુધવાર ઠાર મરવામાં આવ્યું હતું. વનવિભાગના કર્મચારીઓ દ્વારા ત્રણ ગોળીઓ ધરબી દઈ રીંછને ઠાર કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસથી આ હિંસક પ્રાણીને પકડવા મથતાં કર્મચારીઓને વનતંત્ર દ્વારા આખરે રીંછને બંદુકની ગોળીથી ઠાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હિંસક રીંછને પકડી પાડવા અને ન પકડાય તો ભડાકે દેવા વન વિભાગની ત્રણ ટીમો ખાપરાના જંગલો ખુંદી વળી હતી. વનવિભાગના શાર્પશૂટરો દ્વારા આશરે ત્રણ જેટલી ગોળીઓ ધરબી દઈને રીંછને મારી નાંખવામાં આવ્યું હતું.

વિસ્તારમાં રાયફલો સાથે વનવિભાગના કર્મીઓ પણ ગોઠવાયા હતા. રીંછને ઝબ્બે કરવા, તેની હિલચાલને જોવા માટે સવારે બે થી ત્રણ ટ્રેપીંગ કેમેરા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ટ્રેપીંગ કેમેરા કાંસા ડુંગર ઉપરથી ખાપરા જવાના માર્ગમાં, જ્યાં રીંછે હૂમલો કર્યો હતો, ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. આ રીંછ તેના બચ્ચા સાથે છે કે એકથી વધુ સંખ્યામાં છે, તેનો તાગ મેળવ્યા બાદ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું હતું. તમામ બંદોબસ્ત થયા બાદ ગાંધીનગરથી આવનારી રેસ્ક્યુ ટીમ દ્વારા આ ઓપરેશન પાર પડાયું હતું.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના દાંતા પાસેના જંગલમાં રવિવારે અને સોમવારે રીંછે કરેલા હુમલામાં બે વ્યક્તિવનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ગઈ કાલે રીંછને પકડવા માટે વન-વિભાગના કર્મચારીઓ દાંતાના ખાપરા ગામ પાસેના જંગલમાં ગયા હતા, જ્યાં રીંછે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જો કે રીંછ હુમલો કરીને નાસી ગયું હતું.
કર્મચારીઓ રીંછ જતું રહ્યું હોવાનું માની રહ્યા હતા, ત્યાં રીંછે ફરી હુમલો કરતાં ફૉરેસ્ટર એન. એચ. પટણી ગંભીર રીતે ઘવાયા હતા અને થોડી વારમાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘાયલ લોકોને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
