ખનીજ ચોરી મામલોઃ બાબુ બોખિરિયાને ત્રણ વર્ષની સજા

મળતી માહિતી કોર્ટ દ્વારા બાબુ બોખરિયા ઉપરાંત ભરત આડેદરા અને માર્કેટિંગ યાર્ડના લક્ષ્મણ આડેદરાને પણ ત્રણ વર્ષની સજા સંભળાવી છે. ઉક્ત સજા કલમ 379 હેઠળ સંભળાવવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના સઘન અભિયાન બાદ ગેરકાયદે રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાની વાત બહાર આવી હતી. જે કેસમાં આજે પોરબંદર સેશન્સ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો.
શું છે ખનીજ ચોરીનો મામલો
પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં તા. ૫-૬-૨૦૦૬ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે બાબુ બોખિરિયા અને તેમના સાગરીતો દ્વારા પાંચ વર્ષી ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરીને જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું છે. આ કૌભાંડ અંદાજે 500 કરોડની આસપાસ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જે તે સમયે પોરબંદર પોલીસે ભીમા દુલા અને લખમણ ભીમાની ધરપકડ કરી હતી.
કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી હોવાનો પણ ઉઠ્યો હતો વિવાદ
ખનીજ ચોરી અંગે કેસ કરવામાં આવ્યા બાદ બાબુ બોખરિયા અને તેમના સાગરીતો દ્વારા કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું અને પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી હોવા અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ દિલીપ કાતરિયા દ્વારા રાષ્ટ્રપતિને એક પત્ર પણ પાઠવ્યો હતો.












Click it and Unblock the Notifications
