મનરેગાનો પગાર ન ચુકવાતા વડગામના શ્રમિકોનો બનાસકાંઠા કલેક્ટક કચેરી ખાતે વિરોધ
બનાસકાંઠાના વડગામમાં મનરેગા શ્રમિકોને પગાર ન ચુકવાતા વિરોધ ઉઠ્યો છે. મનરેગા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી વહેલી તકે પગાર ચુકવવા માંગ કરી હતી.
બનાસકાંઠાના વડગામમાં મનરેગા શ્રમિકોને પગાર ન ચુકવાતા વિરોધ ઉઠ્યો છે. મનરેગા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી વહેલી તકે પગાર ચુકવવા માંગ કરી હતી. બીજી તરફ કાર્યવાહીં નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
Recommended Video


વડગામ તાલુકાના મનરેગા શ્રમિકોની માંગ છે કે તેમને વહેલી તકે પગાર ચુકવવામાં આવે. આ તાલુતામાં છેલ્લા મહિનાથી મનરેગા કર્મચારીઓને પગાર ચુકવવામાં આવ્યો નથી. ત્યારે સ્થાનિક અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ શ્રમિકો સાથે જોડાયા હતા અને વહેલી તકે પગાર ચુકવવા માંગ કરી હતી.
200 વધુ મહિલાઓ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યા બાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારને ચિમકી ઉચ્ચારી હતી. તંત્રની બેદરકારીને કારણે 7 કરોડથી વધારે રૂપિયા ચુકવવાના બાકી છે ત્યારે જિજ્ઞેશ મેવાણીએ આવા પરિવારો માટે 300 દિવસના રોજગારની માંગ કરી છે. આ ઉપરાંત આવા શ્રમીકોને કાયમી કરવા પણ માંગ કરી છે. જિજ્ઞેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી હતી કે જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આંદોલનનો રસ્તો લેવાશે. મનરેગા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી આંદોલવન કરશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
