દ્વારકાના ગામડાઓમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં
દ્વારકાના ગામડાઓમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં
કોરોનાવાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના રાજ્યોમાં 18થી 45 વર્ષના લોકોને પણ રસી આપવાની શરૂ કરી દેવામાં આવી છે, જો કે ગુજરાતના કેટલાક જિલ્લામાં વિલંબ થયો હતો. હવે મોડે મોડે તંત્ર જાગ્યું અને કોરોના રસીકરણના અભિયાનને ઝડપી બનાવ્યું.

તાજેતરમાં જ વિજય રૂપાણી સરકારે તમામ જિલ્લામાં 18થી 44 વર્ષની ઉંમર ધરાવતા લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિરોધી રસી લેવા માટે લોકોમાં જાગૃતિ જોવા મળી હતી. ખંભાળિયા નજીક આવેલ ધરમપુર ગામે રસીકરણ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું, લોકોમાં વહેલી સવારેથી જ રસી લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.
તંત્રએ પણ રસીકરણ કેન્દ્ર ખાતે લોકોને તકલીફ ન પડે તે માટે પીવાના પાણી વગેરે જરૂરિયાત મુજબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
જો કુલ લેવાયેલી વેક્સીન વિશે વાત કરીએ તો અત્યાર સૂધીમાં ગુજરાતમાં કુલ 1 કરોડ 36 લાખ 63 હજાર 544 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 42 લાખ 61 હજાર 375 લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે. કુલ 1 કરોડ 79 લાખ 24 હજાર 919 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 6 જૂન સુધી કોરોના વેક્સીનના સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં 2 કરોડ 36 લાખ 68 હજાર 323 આપવામાં આવ્યા જ્યારે સૌથી ઓછા ડોઝ લક્ષદ્વીપમાં 37327 ડોઝ આપવામાં આવ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
