સાબરકાંઠામાં રસીકરણનો પ્રારંભ, 5 સેન્ટરોમાં કરાઇ શરૂઆત
દેશભરમાં આજે કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ મહાઅભિયાન અભિયાન શરૂ કરાયું છે. ગુજરાતના બધા સેન્ટરો પર રસીકરણની તૈયારીઓ પહેલા જ પૂરી કરી લેવામાં આવી હતી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી દુનિયાના સૌથી મોટ
દેશભરમાં આજે કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ મહાઅભિયાન અભિયાન શરૂ કરાયું છે. ગુજરાતના બધા સેન્ટરો પર રસીકરણની તૈયારીઓ પહેલા જ પૂરી કરી લેવામાં આવી હતી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતમાં 6 રિજનલ ડેપો તૈયાર કર્યા છે. રાજ્યમાં 161 કેન્દ્રો પર આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે અને દરેક સેન્ટર પર 100 લોકોને રસી આપવામાં આવશે.
સાબરકાંઠા જીલ્લામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. સાબરકાંઠાના 5 સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરવામાં આ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં 100 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવી છે. સંસદ સભ્યો અને ધારાસભ્યોની હાજરીમાં વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇને કોંગ્રેસમાં સ્થાનક વહિવટી તંત્ર પણ સાથે જોવા મળ્યું હતુ. જિલ્લામાં ઉભા કરવામાં આવેલ 5 સેન્ટરો પૈકી દરેક સેન્ટરમાં 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો