અંગત અદાવતમાં થઇ મારામારી, 2ના મોત, 11થી વધુ ઇજાગ્રસ્ત
અંકલેશ્વર, 16 જાન્યુઆરી: અંકલેશ્વરના હાંસોટ તાલુકાના અંભેટા ગામમાં મકરસંક્રાતિના પર્વના દિવસે જ ગામ ભડકે બળ્યું હતું. ઉત્તરાયણ પર્વના દિવસે જ ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ ગઇ. જેમાં વાહનોને, ઘરને દુકાનોને પણ આગ ચાંપી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 11 જેટલા લોકો ઘાયલ થયા છે.
સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મહિના પહેલા હાંસોટ તાલુકાના અંભેટા ગામે ધાર્મિક લાગણી દુભાવવાના સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સંદેશાઓથી વાતાવરણ તંગ હતું. અને ઉત્તરાયણના દિવસે મામૂલી રકજકથી આ મામલો બીચક્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બંને કોમના જુથ સામસામે હથિયારો લઇને આવી ગયા હતા. બંને જુથોએ એકબીજાના ઘરો અને દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. આ અંગેની જુદી જુદી પાંચથી વધુ ફરિયાદ હાંસોટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી, અલગ અલગ હુમલાઓની ફરિયાદ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં પોલીસે 20 રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. આ ઉપરાંત 16 લોકો સામે હત્યા, રમખાણ, હુમલો અને ફાયરિંગ સહિતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અથડામણમાં લારી, ગલ્લા, રીક્ષા, મોટર સાયકલ, તથા મકાનોને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી હતી, આ ઉપરાંત ટોળા દ્વારા પોલીસ પર પણ ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ તુરંત અત્રેના વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા ઠપ કરી દેવામાં આવી હતી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
