વિરમગામ ને જિલ્લાનો દરજ્જો આપવાની ઉઠી માંગ, નીકળી રેલી
વિરમગામને જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વેપારી અને સામાન્ય પ્રજાએ નીકાળી રેલી.
અમદાવાદ : અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક વિરમગામ ઐતિહાસિકતા ધરાવવા સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની મધ્યમાં આવતું શહેર છે. વિરમગામ રેલ્વે સ્ટેશન એક મહત્વનું જંકશન છે. છેલ્લા 20 વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારાસભ્યો-સંસદ સભ્યો, અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહે છે કે ટૂંક સમયમાં વિરમગામને જિલ્લો જાહેર કરવામાં આવશે. વચનોથી ભોળવાઈ જતી વિરમગામ પંથકની જનતામાં હવે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

આજ રોજ વિરમગામ જીલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામને જિલ્લા નો દરજ્જા ની પ્રબળ માંગ સાથે શહેર ના મુનસર રોડ થી તાલુકા સેવા સદન સુઘી બેનરો સાથે વિશાળ યોજી મુખ્યમંત્રી ને અનુલક્ષીને નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું છે. આ આવેદન ના તમામ મુદ્દાઓ નો મુખ્ય હેતું વિરમગામ ને જિલ્લા નો દરજ્જો આપવા માટે નો છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ અંગે ઠાલા વચનો આપીને બેઠેલા નેતાઓ કોઇ કાર્યવાહી કરે છે કેમ?












Click it and Unblock the Notifications
