Weather: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ, IMDએ જાહેર કર્યુ યલો એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુરુવાર સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુરુવાર સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યુ કે આવતા 48 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર જોવા મળશે નહિ પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આઈએમડીએ બુધવારે કહ્યુ કે, 'આવતા 5 દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય દેશમાં કોઈ ભાગોમાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે નહિ. સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં 17 અને 18 માર્ચે હીટવેવની સ્થિતિ રહેશે.'

સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ
હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ કે, 'સામાન્ય લોકો આ ગરમી સહન કરી શકશે પરંતુ નવજાત બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીવાળા લોકો માટે આ ગરમી થોડી ચિંતા વધારી શકે છે.' વધુમાં વિભાગે કહ્યુ હતુ કે લોકોએ આ હીટવેવા બહાર જવાનુ ટાળવુ જોઈએ.

તાપમાન 47°Cથી વધુ હોય ત્યારે ગંભીર હીટવેવ
હવામાન વિભાગ ઓછામાં ઓછુ 40°C અને સામાન્ય કરતા 4.5°C અને 6.4°C તાપમાન વધુ હોય અથવા સબ ડિવિઝનમાં સતત બે દિવસ માટે મહત્તમ તાપમાન 45°Cથી વધુ હોય ત્યારે હીટવેવ જાહેર કરે છે. જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછુ 40°C અને સામાન્ય કરતા 6.4°Cથી વધુ અથવા મહત્તમ તાપમાન 47°Cથી વધુ હોય ત્યારે ગંભીર હીટવેવ ગણવામાં આવે છે.

હીટવેવના કારણે વધુ મોત
IMDએ ઉત્તર અને પૂર્વ ભારત માટે સામાન્ય કરતા વધુ ગરમીની આગાહી જાહેર કરી છે જેમાં હીટવેવના કારણે વધુ મોત થતા હોય છે. તેમની માર્ચથી મેની ઉનાળાની આગાહીમાં આઈએમડીએ જણાવ્યુ હતુ કે ઉત્તર, ઉત્તર-પૂર્વ, તેમજ પૂર્વ અને પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આઈએમડીએ વધુમાં ઉમેર્યુ હતુ કે તેમછતાં દક્ષિણ દ્વીપકલ્પ અને તેને સંલગ્ન મધ્ય ભારતના મોટાભાગના સબ ડિવિઝનમાં મોસમી મહત્તમ તાપમાન સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
