કયા હોસ્પિટલમાં બેડ, ઑક્સીઝન, રેમડેસિવિર અને પ્લાઝ્મા ઉપલબ્ધ છે? એક ક્લિકમાં જાણો આખા ગુજરાતની માહિતી
કયા હોસ્પિટલમાં બેડ, ઑક્સીઝન, રેમડેસિવિર અને પ્લાઝ્મા ઉપલબ્ધ છે? એક ક્લિકમાં જાણો આખા ગુજરાતની માહિતી
કોરોનાવાયરસની બીજી લહેરે સમગ્ર પ્રજાજનોને હેરાન પરેશાન કર્યા છે. દરરોજ કોરોના સંક્રમણના મામલા 2.5 લાખથી વધુ નોંધાઈ રહ્યા છે અને માત્ર છેલ્લા 24 કલાકમાં જ 1619 લોકોના આ વાયરસથી મોત થયાં છે. સૌથી મોટી સમસ્યા ત્યારે થાય જ્યારે તમારા કોઈ સંબંધી આ બીમારીથી પિડાઈ રહ્યા હોય અને યોગ્ય માહિતી તમારી પાસે ઉપલબ્ધ ના હોય. જેમ કે કયા હોસ્પિટલમાં બેડ ખાલી છે, ક્યાંથી ઑક્સિજન મળી શકે એમ છે, પ્લાઝ્મા ક્યાંથી મેળવવા? વગેરે જેવી માહિતી તમને ઘણી મદદરૂપ થઈ શકે છે. જો તમે પણ આવી મૂંજવણમાં હોવ તો અહીં અમે તમને એવાં હોસ્પિટલ્સની યાદી જણાવશું જ્યાં બેડ, ઑક્સીઝન, પ્લાઝ્મા, રેમડેસિવિર દવાની ઉપલબ્ધતાની માહિતી તમને એક ક્લિકમાં મળી જશે. અહીં અમે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, જે દરેક 5 મિનિટે અપડેટ થઈ રહી છે અને વિશ્વસનિય છે.
સરકારની ગાઈડલાઈન મુજબ જો તમે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ હોવ તો પણ સરકારી હોસ્પિટલ મારફતે રેમડેસિવિર મેડિસિન મેળવી શકો છો. તેમાં પણ અમદાવાદના એસવીપી હોસ્પિટલેથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવું હોય તો તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ નીચે આપેલાં ડોક્યૂમેન્ટ પણ આપવાં જરૂરી રહેશે.
અમદાવાદ મ્યૂનિસિપાલ કોર્પોરેશનની લિમિટમાં આવતા હોસ્પિટલમાં દર્દી ઑક્સિજન બેડ પર દાખલ હોવો જોઈએ.
- DOC1- હોસ્પિટલ પાસે એમદાવાદ મ્યૂનિસિપાલ કોર્પોરેશન દ્વારા ઈસ્યૂ થયેલ માન્ય C ફોર્મ હોવું જરૂરી છે.
- DOC2- દર્દીનો RTPCR રિપોર્ટ 15 દિવસથી વધુ જૂનો ના હોવો જોઈએ
- DOC3- ડૉક્ટરે છેલ્લા પેજ પર આપેલ ફોર્મેટમાં ફોર્મ ભર્યું હોવું જોઈએ.
- DOC4- રેમડેસિવિર ઈન્જેક્શન કલેક્ટ કરવા આવે તે હોસ્પિટલ સ્ટાફનું આઈડી કાર્ડ
ઉપર જણાવેલા ચારેય ડૉક્યુમેન્ટને [email protected] પર અટેચ કરી મેઈલ મોકલી આપવો. જો ડૉક્યૂમેન્ટ ઘટતાં હશે તો એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. અને સફળ એપ્લિકેશન થવા પર રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા માટેની તમને અપોઈન્ટમેન્ટ મળી જશે.
કયાં હોસ્પિટલેથી મળશે રેમડેસિવિર ઈન્જેક્શન? જાણવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના મ્યુનિસિપાલ કમિશનરે આદેશ જાહેર કરી અમદાવાદના કયાં હોસ્પિટલમાં કેટલાં બેડ ખાલી છે તે અંગે માહિતી ઓનલાઈન અપલોડ કરવા જણાવ્યું હતું. ત્યારે ઉપલબ્ધ બેડની માહિતી અહીં મેળવી શકાય છે.
જો તમારા કોઈ સગા સંબંધીને પ્લાઝ્માની જરૂરત હોય તો તેના માટે અહીં આપેલા મોબાઈલ નંબર પર કોલ કરી પ્લાઝ્મા મેળવવા અંગેની વધુ માહિતી મેળવી શકાય છે.
પ્લાઝ્મા
માટે
કોલ
કરો
પૃથ્વીશ-
93774
06999
પ્રજેશ
ભરવાડ-
+91
8153-830226
પૃથ્વીશ
પાંડ્યા-
+91
97243
04143
વિજયભાઈ-
9898102029
ઝલક
વસાવડા-
Zalak
vasavda
પ્લાઝ્મા
બેંકઃ
નિરવ
પટેલ,
સંજીવની
બ્લડ
બેંક,
પાલડી,
મોબાઈલ
નંબર
09426871496
વ્હાઈટ
ક્રોસ-
8866304644
ઑક્સિજન સપ્લાયર્સની યાદી અહીં આપેલી છે પરંતુ તેમની પાસે સ્ટોક છે કે નહિ તે જે-તે સમયે કોલ કરીને તમે જાણી શકો છો. આ યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
વડોદરામાં દાખલ હોય તેવા દર્દીઓને પ્લાઝ્મા જોઈતો હોય અથવા તો સાજા થયેલા દર્દીઓએ પ્લાઝ્મા ડોનેટ કરવો હોય તો અહીં રિક્વેસ્ટ કરી શકાય છે.
વડોદરા શહેરમાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
ભરૂચમાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
આણંદમાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
છોટાઉદેપૂરમાં બેડની ઉપલબ્ધતા અંગેની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
દાહોદમાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
ખેડામાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
મહિસાગરમાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
નર્મદામાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
પંચમહાલમાં ઉપલબ્ધ બેડની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
રાજકોટમાં 60 બેડની સુરભી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જે ગોંડલ રોડ ખાતે આવેલ માલવિયા નગરમાં એચજે દોસજી ટ્રસ્ટ હોસ્પિટલની સામે આવેલી છે. ત્યાંનો હેલ્પલાઈન નંબર છે- 8156010182, 02812361008
રાજકોટમાં રેમડેસીવીર કઈ રીતે મેળવશો ?
રેમડેસિવિર ઇન્જેક્શન માટે કંટ્રોલરૂમના બે નંબર (9974073450 , 9974583255) જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વોટ્સએપ પર રિપોર્ટ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન , આધાર કાર્ડ મોકલવાના રહેશે તે બાદ તંત્ર દ્વારા ઇન્જેક્શન જરૂરિયાત છે કે કેમ તે નક્કી કરી આપવામાં આવશે. કંટ્રોલરૂમથી નક્કી થયા બાદ કુંડલીયા કોલેજ ખાતે મધ્યસ્થ કેન્દ્ર પર ઇન્જેક્શન લેવા જતી વખતે RTPCR રિપોર્ટ , સિટી સ્કેન રિપોર્ટ , રેપીડ ટેસ્ટ , ડોક્ટરનું ઓરીજીનલ પ્રિસ્ક્રિપ્શન, આધારકાર્ડની કોપી, ઇન્ડેન્ટ ફોર્મ અને ઓનલાઇન પેમેન્ટ કરેલું હોય તો તેની નકલ સાથે લઇ જવાની રહેશે.
ગાંધીનગરની કર્ણાવતી ડેન્ટલ કોલેજને કોવિડ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ હોસ્પિટલ સેક્ટર 3/એ, અડાલજ બ્રિજ પાસે, ગાંધીનગરમાં આવેલી છે. જ્યાં વહેલા તે પહેલાના ધોરણે બેડ આપવામાં આવે છે. કોન્ટેક્ટ નંબર- 7405075474, 7043781123, 6359879579
આ પણ વાંચો
- ભારતમાં બમણી ગતિએ વધી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 2.75 લાખ કોરોના કેસ અને 1600થી વધુ મોત
- પીયુષ ગોયલનો વિપક્ષને જવાબ, કોરોના પર રાજનીતિ બંધ કરો, PM મોદી દિવસમાં 18-19 કલાક કરી રહ્યા છે કામ
- ઈઝરાયલે કોરોના વાયરસ સામે જીતી જંગ! માસ્ક પહેરવાથી લોકોને મળી આઝાદી, સ્કૂલો-કૉલેજો પણ ખુલી
- ગુજરાતમાં વકર્યો કોરોનાવાયરસ, એક જ દિવસમાં 10340 નવા કેસ