For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આજે કોર્ટમાં જશે ઝાકિયા ઝાફરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

zakia-jafri
અમદાવાદ, 15 એપ્રિલ: ગુજરાતની એક કોર્ટે 2002ના ગુજરાતના કોમી હુલ્લડમાં મોતને ભેટેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયા ઝાફરીને કેસને બંધ કરવા સંબંધી એસઆઇટીના રિપોર્ટને 15 એપ્રિલ સુધી પડકાર ફેંકવાનો આદેશ આપ્યો હતો, જેની સમયમર્યાદા આજે પુરી થાય છે, માનવામાં આવે છે કે ઝાકિયા ઝાફરી આજે પડકાર રજૂ કરશે.

ક્લોઝર રિપોર્ટ વિરૂદ્ધ સોમવારે ઝાકિયા ઝાફરી સુપ્રિમ કોર્ટના આદેશ પર અમદાવાદ મેટ્રોપોલિયન કોર્ટોમાં પોતાની વિરોધ અરજી દાખલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસઆઇટીના રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને પવિત્ર અને નિર્દોષ ગણાવ્યા હતા.

ફેબ્રુઆરી 2013માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જીજે ગણત્રએ ઝાકિયા ઝાફરીને આઠ અઠવાડિયાની અંદર એસઆઇટીના કેસને બંધ કરવા સંબંધી રિપોર્ટ વિરોધ પોતાની અરજી દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. વિશેષ તપાસ દળ (એસઆઇટી)એ 8 ફેબ્રુઆરી 2012ના રોજ આ રિપોર્ટ દાખલ કર્યો હતો. એસઆઇટીએ નરેન્દ્ર મોદી અને અન્ય વિરૂદ્ધ રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે ફરિયાદ માટે તપાસ કરી હતી.

English summary
Zakia Jafri, wife of riots victim Ehsan Jafri, is likely to file a protest petition in a trial court here today against the SIT's closure report giving clean chit to Modi and others in the Gulberg Society massacre case in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X