વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો
ફ્લોર ટેસ્ટ પહેલા કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ વિધાનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીની પ્રશંસા કરી. ત્યારબાદ યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્વાવ રજૂ કર્યો છે.
ફ્લોર ટેસ્ટ પહેલા કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ વિધાનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીની પ્રશંસા કરી. ત્યારબાદ યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્વાવ રજૂ કર્યો છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે હું જનાદેશ બાદ સીએમ બન્યો હતો અને મને જે જવાબદારી આપવામાં આવી તે મે નિભાવી છે. અમે ચૂંટણીમાં 40 સીટોથી 104 પર પહોંચી ગયા છે. વળી, કોંગ્રેસ 122 થી ઘટીને 78 માં પહોંચી ગઈ છે. કોંગ્રેસે જનાદેશનું અપમાન કર્યુ છે.
સિદ્ધારમૈયા પર નિશાન સાધતા યેદિયુરપ્પાએ કહ્યું કે પ્રચાર દરમિયાન સિદ્ધારમૈયાએ કહ્યુ હતુ કે તે કુમારસ્વામીને સીએમ નહિ બનવા દે. તેમછતાં તે પોતે તેમને સીએમ બનાવી રહ્યા છે. સિદ્ધારમૈયાએ પોતાના પિતાના ખોટા સોગંદ ખાધા. યેદિયુરપ્પાએ કહ્યુ, 'ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ સામસામે લડ્યા અને હવે સત્તા માટે એક સાથે આવી ગયા છે.'
યેદિયુરપ્પાએ કહ્યુ કે, 'હું ચૂંટણી દરમિયાન આખા રાજ્યમાં ફર્યો, રાજ્યમાં ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે. અમે વિચાર્યુ હતુ કે ખેડૂતો માટે કામ કરીશું. હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હિત માટે લડતો રહીશ. સિદ્ધારમૈયાએ કંઈ પણ કામ કર્યુ નથી. રાજ્યમાં પાણીની સપ્લાય, એમએસપી વગેરે પર આપણે ફોકસ કરવાની જરૂર છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે, આજે મારી અગ્નિપરીક્ષા આપી રહ્યો છું.' ત્યારબાદ યેદિયુરપ્પાએ પોતાનું રાજીનામુ આપી દીધુ છે.