ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો
ભારતીય લશ્કરે ઉરી આતંકી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે ડાયરેક્ટર જનરલ ઓફ મિલેટ્રી ઓપરેશન એટલે કે ડીજીએમઓ લેફ્ટિનેંટ જનરલ રણવીર સિંહે આ વાતની પુષ્ટિ આપી છે. ડીજીએમઓ એ મીડિયાને જણાવ્યું કે ભારતીય લશ્કરે એલઓસી પાર કરી પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પના આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
એટલું જ નહીં સર્જીકલ સ્ટ્રાઇક થયા પછી ભારતીય લશ્કરે પાકિસ્તાનને પણ આ અંગે જાણકારી આપી છે. ડીજીએમઓ જણાવ્યું છે કે સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે. ત્યારે આ સર્જીકલ સ્ટ્રાઇક વિષે 10 ખાસ રસપ્રદ વાતો વાંચો અહીં....

પાકનું રિએક્શન
પાકિસ્તાને આ સર્જીકલ સ્ટ્રાઇક પછી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પાકના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શાંતિ પસંદ કરે છે. અને ભારતના આ પ્રયાસથી તે નાખુશ છે.

મ્યાંનમાર જેવી જ સ્ટાઇલ
મ્યાંનમાર સ્ટાઇલમાં જ ભારતીય લશ્કરે આ સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. અને તેને પાકિસ્તાન આર્મીના બે જવાનોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે.

ઇન્ડિયન આર્મી
ભારતીય લશ્કરના જવાનોએ બુધવાર રાતે એલઓસી પાર કરીને આ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે.

સ્પેશ્યલ કમાન્ડો
ભારતીય લશ્કરના સ્પેશ્યલ કમાન્ડોની ટીમે પુરતી બાતમીના આધારે આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા છે.

આતંકીઓના કેમ્પ
ડીજીએમઓ જણાવ્યું કે સીમા પાર મોટી સંખ્યામાં આતંકવાદી કેમ્પ છે. જ્યાંથી ભારતમાં આતંકવાદને ફેલવવા માટે આતંકીની ધૂસણખોરી અવારનવાર કરવામાં આવે છે.

મોટો હુમલો
નોંધનીય છે કે આ આતંકીઓ કાશ્મીર અને દેશ પર મોટા હુમલાની તૈયારીમાં હતા પણ ભારતીય લશ્કરે હવે તેના પ્લાનને ચોપટ કરી દીધો છે.

આતંકીઓ
સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન આતંકીઓ પાસેથી સેનાના જીપીએસ સેટ મળ્યા જેની પર પાકિસ્તાનનું માર્કિંગ હતું.

આતંકી
વધુમાં પકડાયેલા આતંકીઓએ કબલ્યું કે પાકના પીઓકેમાં તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે.

ભારતીય સેના
જો કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય સેનાને કોઇ મોટું નુક્શાન નથી થયું. તેવું સેનાના ડીજીએમઓએ જણાવ્યું હતું.

ભારતીય સેના
જો કે ડીજીએમઓ એક વાત સ્પષ્ટ પણે કહી કે ભારત વારંવાર આવી સર્જીકલ સ્ટ્રાઇક કરવા નથી ઇચ્છતું. પણ પાકિસ્તાનને વારંવાર અપીલ કરવા છતાં તેના તરફથી કોઇ નક્કર પગલાં ન લેવાત તેમણે આ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું











Click it and Unblock the Notifications
