ઓરિસ્સાની જેલમાં 120 કેદી કોરોના સંક્રમિત થયા, 2નાં મોત, 449 પેરોલ પર છૂટ્યા
ઓરિસ્સાની જેલમાં 120 કેદી કોરોના સંક્રમિત થયા, 2નાં મોત, 449 પેરોલ પર છૂટ્યા
ઓરિસ્સામાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ઓરિસ્સા ભારતના એવાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં કોરોનાવાયરસના 1 લાખથી વધુ એક્ટિવ કેસ હોય. આ દરમ્યાન ઓરિસ્સાની જેલોમાં પણ કોવિડ-19નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઓરિસ્સાની જેલોમાંથી એક બાદ એક કેટલાય કેદીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાજા રિપોર્ટ મુજબ ઓરિસ્સાની જેલમાં 120થી વધુ કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 2 કેદીઓનાં મોત થયાં છે. ઓરિસ્સા ડીઆઈજી (જેલ)એ આ વાતની જાણકારી આપી છે.

ઓરિસ્સાની જેલમાં ફેલાયો કોરોના
ઓરિસ્સાના ડીઆઈજી (જેલ)એ કહ્યું કે રાજ્યના 120 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે 2 કેદીઓના કોરોનાથી મોત થયાં છે. તેમણે જણાવ્યું કે આઈસોલેશન વોર્ડથી હવે ગંભીર કોવિડ દર્દીઓને હોસ્પિટલે સ્થાનાંતરિત કરી દેવાયા છે. ઓરિસ્સાના ડીઆઈજીએ કહ્યું કે કોરોનાને જોતાં જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે 449 કેદીઓને 90 દિવસના પેરોલ પર છોડી મૂકવામાં આવ્યા છે. તેમણે જાણકારી આપી કે પટનાગઢ ઉપ-જેલ અને બરહામપુર જેલની એક સેલને કોવિડ 19 કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવી છે.

ઓરિસ્સામાં કોરોનાના તાજા આંકડા
ઓરિસ્સામાં કોરોનાવાયરસના એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ છે. રાજ્યમાં 6 મે બાદથી માત્ર એક દિવસ છોડી બાકીના બધા જ દિવસે સતત 10 હજારથી વધુ નવા કોવિડ 19 મામલાસામે આવી રહ્યા છે. ગુરુવારે (13 મે)ના રોજ રાજ્યમાં ગત 24 કલાકમાં 10649 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોના સક્રિય મામલાની કુલ સંખ્યા એક લાખના આંકડાને પાર કરી ગઈ છે.

અત્યાર સુધી 2,251 લોકોનાં મોત થયાં
રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુજબ કુલ મિલાવી ઓરિસ્સામાં અત્યાર સુધી 5,76,297 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ગુરુવારે રાજ્યમાં 13 લોકોનાં મોત થયાં છે.
ઓરિસ્સામાં કોરોનાવાયરસથી અત્યાર સુધી 2,251 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 4,73,680 લોકો સાજા થઈ ચૂક્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
