બોધગયા બ્લાસ્ટ: મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યા હતા 13 બોમ્બ
ત્યાં કુલ 13 બોમ્બ રાખવામાં આવ્યા હતા. હું આ બાબતે ઉંડો ઉતરીશ નહી આ બધા ક્યાં ક્યાં રાખવામાં આવ્યા હતા. બે લોકો 50 વર્ષીય દોરજી અને 30 વર્ષીય બાલા સાંગા ઘાયલ થયા હતા. સુશીલ કુમાર શિંદે પૂણે સો કિલોમીટર દૂર તાલેગાંવમાં સીઆરપીએફમાં એક હોસ્પિટલના ઉદઘાટનના અવસર પર આયોજીત સમારોહમાં વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બિહારના બોધગયામાં મહાબોધિ મંદિરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા.
આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું ઓળખ પત્ર મંદિરના પરિસરમાંથી મળી આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિનોદ મિસ્ત્રી નામક વ્યક્તિની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરમાં તેનું ઓળખપત્ર મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.