સુકમામાં નક્સલી હુમલો, 17 જવાન શહીદ, એનકાઉન્ટર બાદ મળી જવાનોની લાશો
છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં 17 જવાનોના શહીદ થયાના સમાચારો છે.
છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં 17 જવાનોના શહીદ થયાના સમાચારો છે. છત્તીસગઢ પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે શનિવારે ડઝનથી પણ વધુ સુરક્ષાકર્મી એનકાઉન્ટર બાદ ગાયબ થઈ ગયા હતા. આમાં 14 જવાન ઘાયલ થઈ ગયા હતા અને ઘાયલ જવાનોને રાજધાની રાયપુર ઈલાજ માટે મોકલવામાં આવ્યા છે. રાજધાની રાયપુરથી સુકમાનુ અંતર 400 કિલોમીટર છે.

10 એકે-47 પણ ગાયબ
પોલિસને આ જવાનોની લાશો સુકમાના મિન્પા જંગલોમાંથી મળી છે. શનિવારે અહીં નક્સલીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છત્તીસગઢના ડીડીપી ડીએમ અવસ્થી તરફથી જણાવવામાં આવ્યુ કે, રાજ્ય પોલિસ તરફથી જંગલમાં મોકલવામાં આવેલી રેસ્ક્યુ ટીમને 17 જવાનોની લાશો મળી છે. તેમણે જણાવ્યુ કે સુરક્ષાબળોની 15 ઑટોમેટિક રાઈફલો જેમાં 10 એકે-47 પણ છે, ગાયબ છે. ડીજીપી અવસ્થીએ જણાવ્યુ કે શનિવારે ચિંતાગુફામાં કોરાજગુડાની પહાડીઓ વચ્ચે અથડામણ થઈહતી. એનકાઉન્ટર એ વખતે શરૂ થયુ જ્યારે સુરક્ષાબળોની એક ટીમને એન્ટી-નક્સલ ઑપરેશન માટે મોકલવામાં આવી હતી.
તેમણે આગળ કહ્યુ હતુ કે બપોરે એક વાગ્યા બાદ ઘણા એનકાઉન્ટર થયા અને મોડી સાંજે એનકાઉન્ટર ચાલુ હતા. જ્યારે સુરક્ષાબળ પાછા આવ્યા તો માલુમ પાડ્યુ કે રાજ્ય પોલિસના 17 જવાન ગાયબ હતા અને 14 ઘાયલ હતા. ડીજીપીએ જણાવ્યુ કે એનકાઉન્ટર નક્સલીઓની બટાલિયન નંબર વન સાથે થયુ છે. આ બટાલિયનનુ નતૃત્વ માંડવી હીદમા કરે છે. તેમણે જણાવ્યુ કે હિદમા લગભગ 300 નકસ્લીઓને લઈને પહોંચ્યુ હતુ. 24 એપ્રિલ 2017ને સુકમામાં એનકાઉન્ટર થયુ હતુ. બુરકપાલની પાસે થયેલા એ એનકાઉન્ટરમાં સીઆરપીએફના 25 જવાન શહીદ થયા હતા. શનિવારે થયેલી ઘટના ત્યારબાદ સૌથી મોટી ઘટના છે જેમાં આટલા જવાન શહીદ થયા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
