મણિપુરમાં 19 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

અધિકારીઓના જણાવ્યા અનુસાર જે લોકોએ ગુરૂવારે મોરેહમાં 9મી અસમ રાઇફલ્સના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે તેમાં સ્વંભૂ વિંગ કમાન્ડર લૂનમિંગથાંગ, ઓપરેશન કમાન્ડર થાંગનિયો, નાણા વિભાગના કમાન્ડર સાઇપાઓ, જનસંપર્ક અધિકારી લિથાંગ અને અન્ય એક કમાન્ડર થાંગખુલમિનનો સમાવેશ થાય છે.
તેમને કહ્યું હતું કે કેએનએલએફની કેડરોએ આત્મસમર્પણના સમયે 3 એમ-16 રાઇફલ, એક એમ-15 રાઇફલ, બે એકે 22 રાઇફલ, એક અમેરિકી કારબાઇન, એક 32 રાઇફલ, એક એમ-60 મોરટાર તેમજ મોટી માત્રામાં ગોળીઓ તથા હથિયારોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 30 આતંકવાદી સંગઠનોમાંથી પાંચે સરકાર સાથે શાંતિ વાર્તા માટે સહમતિ દર્શાવી છે અને સરકાર તેમના હથિયાર મુકવા અને મણિપુરના વિકાસ માટે શાંતિ વાર્તામાં સામેલ થવા માટે કહ્યું છે.












Click it and Unblock the Notifications
