બાંદીપોરા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર, ભાજપના નેતાની હત્યાનો આરોપ
જમ્મુ -કાશ્મીરના બાંદીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને હજૂ પણ શંકા છે કે કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે, તેથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
શ્રીનગર : જમ્મુ -કાશ્મીરના બાંદીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને હજૂ પણ શંકા છે કે કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે, તેથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા છે.


એક આતંકવાદી પર ભાજપના નેતાની હત્યા કરવાનો આરોપ હતો
એન્કાઉન્ટર વિશે માહિતી આપતા આઈજીપી કાશ્મીર પોલીસ વિજય કુમારે કહ્યું કે, માર્યા ગયેલા 2 આતંકીઓમાંથી એક કાશ્મીરનો હતો અને બીજો પાકિસ્તાનથી આવ્યોહતો. વિજય કુમારે કહ્યું કે તેમાંથી એક ભાજપના દિવંગત નેતા વસીમ બારીની હત્યાનો પણ આરોપી હતો.

2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની શંકા છે
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ સવારથી બાંદીપોરાના વટનિરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.
સુરક્ષા દળોએ અહીં 2-3 આતંકીઓને ઘેરી લીધા હતા. આ ઓપરેશન આર્મી અને રાજ્ય પોલીસની 14 રાષ્ટ્રીય રાઇફલ્સના એકમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએઆતંકવાદીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
|
ગુપ્ત માહિતીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોને વટનિરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી, જેના આધારે પોલીસ અને સેનાના જવાનોએ વિસ્તારમાં પહોંચીનેસર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સૈનિકોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને કેટલાક કલાકો સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.

ઉરીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોએ બે દિવસ પહેલા ઉરી સેક્ટરમાં મોટી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ગુરુવારના રોજ ભારતીય સેનાએ એલઓસી પર ઉરી નજીકરામપુર સેક્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ પીઓકેથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.
સેનાએ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓપાસેથી 5 AK-47 રાઇફલ્સ, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ પહેલા શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી પણ માર્યો ગયો હતો. આતંકવાદીનીઓળખ અનાયત અશરફ ડાર તરીકે થઈ હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
